આ બે રાશિના લોકો માટે ખતરારૂપ બનશે સપ્ટેમ્બર મહિનો, ક્યાંક તમે તો નથી ને….

સપ્ટેમ્બરમાં આ રાશિના લોકો રહે સતર્ક, નહીં તો કોર્ટ કચેરીના વધશે ચક્કર

ઓગસ્ટ મહિનો પુરો થવામાં બસ હવે થોડા જ દિવસો બાકી છે. આ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. જ્યોતિષની દ્રષ્ટિએ, કેટલીક રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો મુશ્કેલ માનવામાં આવે છે. ખાસ કરીને તે બે રાશિઓ માટે વધુ પડકારો હોઈ શકે છે, જેના પર શનિની સાડાસાતી પહેલાથી જ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં શનિની સાડાસાતીનો બીજો તબક્કો મકર રાશિમાં ચાલી રહ્યો છે અને આ સાડાસાતી 29 માર્ચ, 2025 સુધી ચાલશે. સાથે જ કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. 23 જાન્યુઆરી 2028 ના રોજ કુંભ રાશિના લોકો સાડાસાતીની દશાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. હાલમાં, સપ્ટેમ્બર મહિનો આ બંને રાશિઓ માટે મુશ્કેલીઓથી ભરેલો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને આ બંને રાશિઓ સાવધ રહેવાની જરૂર છે.

1.મકર : મકર રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનામાં પૈસા અંગે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. સપ્ટેમ્બર મહિનામાં ગમે ત્યાં મૂડીનું રોકાણ કરવાનું ટાળો અને જો તે ખૂબ જ જરૂરી હોય તો પણ, ખૂબ જ કાળજીપૂર્વક નાણાંનું રોકાણ કરો. કારણ કે તમારા પૈસા કોઈ ખોટી જગ્યાએ અટવાઈ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. વળી, અકસ્માતો વગેરેની સંભાવના છે, જેમાં ઈજાઓ થઈ શકે છે. તેથી સાવધાની સાથે વાહન ચલાવો. આવી મુશ્કેલીઓમાં તમારા ઘણા પૈસા ખર્ચાય શકે છે. પરંતુ જો તમે પહેલાથી સાવચેત રહીને કામ કરો છો, તો તમે મુશ્કેલ સમયને ટાળી શકો છો.

2.કુંભ: આ રાશિના લોકોએ કોઈ પણ પ્રકારનો વિવાદ ટાળવો જોઈએ નહીંતર તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો કોઈ સંપત્તિ સંબંધિત બાબત હોય તો પણ, સપ્ટેમ્બર મહિનામાં તેની સાથે પંગો ન લો, નહીં તો તમારે કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે. નાણાંની લેવડદેવડના મામલામાં પણ તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, નહીંતર તમે ખોટી રીતે ફસાઈ શકો છો અને તમારી કોઈ સાથે લડાઈ પણ થઈ શકે છે. આ ઉપરાંત, પૈસા ઉધાર લેવાનો સમય પણ આવી શકે છે. ખાસ કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

3. આ પગલાંથી સમસ્યાઓ ઓછી થશે: અગાઉથી સાવધાન રહેવા ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં કેટલાક ઉપાય કરો. આ પગલાં તમને તમારી બધી સમસ્યાઓથી બચવામાં મદદ કરી શકે છે. શનિવારે કોઈપણ જરૂરિયાતમંદને કાળા તલ અથવા કાળા અડદનું દાન કરો. સરસવના તેલમાં એક સિક્કો મૂકો અને શનિવારના દિવસે સિક્કા સહિત આ તેલ કોઈપણ જરૂરિયાતમંદને દાન કરો. આ સિવાય મા સરસ્વતીની પૂજા કરો, જેથી તે તમને સદબુદ્ધી આપે અને તમે કોઈ ખોટો નિર્ણય લેવાથી બચી શકો.

Patel Meet