કળિયુગનો રાક્ષસ પિતા: સાણંદમાં સગા બાપે જ આ વસ્તુની લાલચમાં પોતાની 7 વર્ષની સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી

એવું કહેવાય છે કે એક બાપ માટે તેની દીકરી કાળજાનો કટકો હોય છે. દીકરીની જયારે લગ્ન બાદ વિદાય થાય છે ત્યારે પથ્થર જેવો બાપ પણ રડી પડતો હોય છે, પરંતુ હાલ સાણંદમાંથી બાપ દીકરીના સંબંધોને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બાપે જ પોતાની સગી દીકરીની હત્યા કરી નાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા ડાલીના ધર્મેશભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ દેવજીભાઈ દેવીપુજક હાલ સાણંદના ખોડા ગામે રહે છે. ઘનશ્યામના અગાઉ બે વખત લગ્ન થયા હતા. જેમાં પ્રથમ લગ્નથી પ્રિયંકા નામની દીકરી હતી બાદમાં બંને લગ્ન છુટાછેડામાં પરિણમ્યા હતા. જેના બાદ હવે ઘનશ્યામને ત્રીજા લગ્ન કરવાના ઓરતા જગ્યા હતા પરંતુ ત્રીજા લગ્નની અંદર તેમની 7 વર્ષની દીકરી પ્રિયંકાને કારણે તેને કોઈ છોકરી આપતું ન હતું.

પોતાના ત્રીજા લગ્નમાં અડચણ બની રહેલી દીકરીને દુનિયામથી જ હટાવી દેવાનું ઘનશ્યામે નક્કી કરી લીધું. જેના બાદ 7 વર્ષની માસુમ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો દઈ ઘનશ્યામે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ પહેલા પણ ગત તા 5 જુલાઈના રોજ પ્રિયંકાને મારવા મેડિકલ સ્ટોરમાંથી જીવજંતુ મારવાની દવા તથા ઇન્જેક્શન ખરીદી રાત્રીના બારેક વાગ્યે પ્રિયંકા સુઇ જતા દવા ઇન્જેક્શનમાં ભરી મારી દિકરી પ્રિયંકાને મારી નાંખાવા માટે તેના થાપા પર ઇન્જેક્શન આપ્યું હતું. પરંતુ તેની કોઇ અસર ન થતાં તેનું મોત થયું ન હતું.

ત્યારબાદ તા.8ના રોજ ઘનશ્યામ દીકરીને લઇ સાણંદ બસ સ્ટેન્ડથી વિરમગામની બસમાં બેસી હાંસલપુર ચોકડી ખાતે ગયો હતો અને ત્યાં મારી દિકરીને લઇ નીચે ઉતરી ગયો હતો. જેના બાદ ત્યાંથી એક રીક્ષામાં બેસી દિકરીને લઇને હાંસલપુર ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પર ઉતરી ગયા હતા.

ત્યાંથી લખતર તરફ દીકરીને લઈને ગયો હતો. જ્યાં કેનાલ ઉપર એક નાનો બ્રિજ તથા સંપ આવતા ત્યાં બપોરના લગભગ દોઢેક વાગ્યે ઘનશ્યામે દિકરીને ધક્કો મારી કેનાલના વહેતા પાણીમાં નાંખી દીધી હતી. બાદ એક રીક્ષામાં બેસી હાંસલપુર ચોકડીથી બગોદરા આવી ગયો હતો.

બાદમાં પ્રિંયકાની લાશ પણ લખતર કેનાલમાંથી મળી આવતાં વિરમગામ રૂરલ પોલીસમાં ગુનો નોંધાયો હતો. બાદમાં આ ઘનશ્યામ ગત તા 12 જુલાઈ સોમવારે જાતે જ સાણંદ પોલીસ સ્ટેશને જઈ પોતાની દીકરીને કોઈ ઉઠાવી ગયું હોવાની મનઘડંત વાર્તા બનાવી હતી. જેથી સાણંદ પોલીસને શંકા જતા કડક પુછપરછ હાથ ધરતા ઘનશ્યામ ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.

Niraj Patel