અખાત્રીજના દિવસે તિજોરીમાં રાખો આ વસ્તુઓ, આખુ વર્ષ વરસશે માં લક્ષ્મીની કૃપા, નહિ થાય ધનની કમી

આજે અક્ષય તૃતીયા છે, આ દિવસે સાંજના સમયે કરવામાં આવેલા ઉપાયોથી ક્યારેય પણ ધનની કમી થતી નથી. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે. આ દિવસે સાંજે પૂજા કર્યા પછી કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી આર્થિક લાભ થાય છે.

અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાની સાંજની પૂજા સમયે ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે તે જગ્યાએ રાખો. આમ કરવાથી તમને ક્યારેય પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે. તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

મા લક્ષ્મીનું શ્રી યંત્ર વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય લાવે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીની પૂજા સમયે શ્રી યંત્રની સ્થાપના કરો. પૂજા કર્યા પછી, તેને દરરોજ પૂજા સ્થાન અથવા તમારી તિજોરીમાં રાખો. દરરોજ દર્શન અને પૂજા કરો. તમને આર્થિક નુકસાનમાંથી રાહત મળશે અને વેપારમાં વૃદ્ધિ થશે.

કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે, તેથી જ જ્યોતિષમાં કુબેર યંત્રનું ખૂબ મહત્વ છે. અક્ષય તૃતીયાની સાંજે કુબેર યંત્ર ઘરમાં લાવો, તેની પૂજા કરો અને તિજોરીમાં રાખો. ભગવાન કુબેરની કૃપા તમારા પર વરસશે અને તમારી સંપત્તિમાં વધારો થશે.

અક્ષય તૃતીયાની સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીના ચરણોમાં આખી હળદરનો એક ગઠ્ઠો અર્પિત કરો. પૂજા પૂરી થયા પછી પીળા કપડામાં ગઠ્ઠો લપેટીને ઘરની તિજોરી અથવા સ્ટોરેજ રૂમમાં રાખો. દરરોજ પૂજા કરો, તેનાથી તમને આર્થિક લાભ થશે.

અક્ષય તૃતીયાના દિવસે કોડી ખરીદી ઘરે લાવો, કોડીને ખૂબ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને કોડી ખૂબ પ્રિય છે. એટલે અક્ષય તૃતીયા પર 11 કોડી ખરીદી તેને લાલ કપડામાં બાંધો અથવા દેવી લક્ષ્મીને અર્પણ કરો. આને તિજોરી કે ભંડાર ઘરમાં રાખવાથી માતા ખુશ રહે છે અને ક્યારેય આર્થિક નુકસાન પણ નથી થતુ.

Shah Jina