KGF સ્ટાર યશ પાન મસાલાની એડ કરશે ? જુઓ પાન મસાલાની ઓફરને લઈને કર્યો ધડાકો

આજના સમયમાં કલાકારો બેબાક ફિલ્મો આપી રહ્યા છે જેને લીધે દર્શકોનો પ્રેમ પણ તેઓના પ્રત્યે વધતો જતો જોવા મળે છે.જો કે કલાકારો જેટલા ફેમસ થાય છે એટલી જ તેમના પર જવાબદારીઓ પણ ઉભી થઇ જતી હોય છે. તેઓની નાની નાની એવી લાપરવાહી પણ લાઇમલાઇટમાં આવી જતી હોય છે જેને લીધે તેમને ટ્રોલ પણ કરવામાં આવતા હોય છે.અમુક સમય પહેલા જ અક્ષય કુમારે વિમલની એડ કરી હતી જેને લીધે તેને ખબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

અજય દેવગન, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન પછી અક્ષય કુમારે પણ પાન મસાલાની એડ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું હતું કે તે લોકોને હાનિ પહોંચાડનાર પ્રોડક્ટ્સની એડ ક્યારેય નહીં કરે, એવામાં આ એડને લીધે લોકો રોષે ભરાયા હતા, જેને લીધે અક્ષયે લોકોની માફી માંગી હતી અને સાથે જ ચાહકોને વચન પણ આપ્યું કે તે પોતાની આ કમાણી જરૂરિયાતમંદ લોકોને દાન કરી દેશે અને કંપની સાથેનો પોતાનો કોન્ટ્રાકટ તોડી નાખશે. એવામાં તાજેતરમાં જ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે કેજીએફ સ્ટાર યશે પાન મસાલાની એડ કરવાનો ઇન્કાર કર્યો છે અને કરોડો રૂપિયાની ઓફર ઠુકરાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

યશ માટે એન્ડોર્સમેન્ટ ડિલ્સ સંભાળનારી એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે પાન  મસાલાની કરોડોની ડીલ ઠુકરાવી છે. અર્જુન બનર્જીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે,”પાન મસાલા જેવા પ્રોડક્ટથી લોકોના સ્વાસ્થ્ય પર હાનીકારક અસર પડે છે.યશ દ્વારા લેવમાં આવેલો આ ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે, તેમણે આ ઓફરને ઠુકરાવી દીધી છે. તેમણે પોતાના ફોલોઅર્સ, ચાહકો અને અન્ય બાબતોમાં પોતાની દિલચસ્પીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે”.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

એવામાં ચાહકોને એકવાર ફરીથી રોકી ભાઈ પર ગર્વ થયો છે અને તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમણે પોતાના ચાહનારાઓને જશ્ન મનાવવાનો અને પોતાના પર ગર્વ કરવાનો મૌકો આપ્યો છે.એવામાં આજના સમયમાં ચારે તરફ યશની જ ચર્ચા થઇ રહી છે. કદાચ યશે અક્ષય કુમારની ભૂલથી મોટી શીખ લીધી છે અને તે સમજી ગયા હતા કે ચાહકો તેના પર ખુબ ભરોસો કરે છે, અને તેને તે ક્યારેય તોડવા નથી માંગતા.

Krishna Patel