3 ફૂટનો વરરાજા અને 31 ઇંચની કન્યા, તસવીરો જોઈને લોકોએ કહ્યું, “આ જોડી તો સાક્ષાત ભગવાને બનાવી છે !” જુઓ અનોખા લગ્નની અનોખી તસવીરો

એવું કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. તમે ઘણા એવા અનોખા લગ્ન જોયા હશે જેને જોઈને તમને પણ મનમાં થાય કે આ જોડી તો ઉપરથી બનીને આવી છે. ત્યારે હાલ એવા જ એક લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેને જોઈને લોકો પણ આશીર્વાદ આપવા માટે મજબુર થઇ ગયા છે.

આ ચર્ચાનો વિષય બનેલા લગ્ન સામે આવ્યા છે મહારાષ્ટ્રના જલગાંવ શહેરમાંથી. આ લગ્નમાં વરની લંબાઈ 36 ઈંચ અને કન્યાની લંબાઈ 31 ઈંચ હતી. બંનેની જોડી જોઈને બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો “રબને બના દી જોડી.” વાસ્તવમાં જલગાંવના સંદીપ સપકાળેની લંબાઈ 36 ઈંચ છે અને ઉજ્જવલાની લંબાઈ 31 ઈંચ છે. બંનેએ ગુરુવારે લગ્ન કર્યા હતા. સંદીપને કોઈ ભાઈ-બહેન નથી. તેના માતાપિતા સામાન્ય કદના છે. ઉજ્જવલાને અન્ય ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેના માતા-પિતા સહિત તેનો ભાઈ અને બહેન સામાન્ય કદના છે.

ઉજ્જવલા અને સંદીપનો પરિવાર બંનેના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત હતો. ટૂંકી લંબાઈને કારણે બંનેના લગ્ન થઈ રહ્યા ન હતા. પણ કહેવાય છે કે લગ્નની જોડીઓ તો સ્વર્ગમાં બંધાય છે. સંદીપ અને ઉજ્જવલાનો સંબંધ પણ કદાચ સ્વર્ગમાં બંધાયેલો છે. આ જ કારણ છે કે બંનેની મુલાકાત થઈ હતી. જોકે બંનેના લગ્ન સામાન્ય રીતે થાય છે એટલા સરળ નહોતા. સંદીપ અને ઉજ્જવલાના લગ્ન અચાનક તૂટી ગયા. ઉજ્જવલાના પિતાને સંદીપના કામ વિશે પ્રશ્નો હતા.

આ સવાલ ત્યારે થયો જ્યારે ઉજ્જવલાના પિતા સીતારામ કાંબલે જલગાંવ આવ્યા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે છોકરાએ શું કર્યું ? પરંતુ જ્યારે તેમને ખબર પડી ત્યારે પહેલા લગ્ન તૂટી ગયા અને બાદમાં બંને અતૂટ બંધનમાં બંધાઈ ગયા. સંદીપે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે શહેરની એક નામાંકિત સોનાની દુકાનમાં કામ કરે છે. સંદીપના લગ્નની ચર્ચાનું કારણ એ છે કે તેની હાઇટ 36 ઇંચ છે અને ઉજ્જવલાની હાઇટ 31 ઇંચ છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને દરેક લોકો ‘રબ ને બના દી જોડી’ કહી રહ્યા છે.

Niraj Patel