આખરે શૈલેષ લોઢાને કેમ નથી મળ્યુ બાકીનું પેમેન્ટ ? ચુપ્પી તોડતા કહ્યુ- પૈસા મળશે પણ પહેલા…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો લીડ રોલ નિભાવી ચૂકેલા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાએ તેમના એક નિવેદનથી બવાલ મચાવી દીધી. તેમણે શોના મેકર્સ પર તેમની બાકીની ફીસ ન આપવાનો આરોપ લગાવ્યો છે.શૈલેષ લોઢા અનુસાર, તે સતત મેકર્સના સંપર્કમાં છે, પણ તે બાદ પણ તેમની બાકીની ચૂકવણી હજુ નથી મળી. શૈલેષ લોઢાના આ આરોપ પર હવે તારક મહેતાના પ્રોજેક્ટ હેડ સુહેલ રમાનીએ નિવેદન જારી કર્યુ છે.

પ્રેસને આપેલ એક નિવેદનમાં સુહેલ રમાનીએ કહ્યુ કે, અભિનેતાએ એક્ઝિટ ઓપચારિકતા પૂરી નથી કરી, જેને કારણે તેમની બાકીની ફીસ રોકી દેવામાં આવી છે. ટીમે ઘણીવાર તેમનો સંપર્ક કર્યો અને તેમને ફોર્માલિટીઝ પૂરી કરવા માટે કહેવામાં આવ્યુ, પણ તેમણે ના કહી દીધી. જરૂરી ડોક્યુમેન્ટ્સ પર સાઇન કરવા અને પોતાનું બાકીનું પેમેન્ટ લેવા માટે વારંવાર વાત કરવા છત્તાં શૈલેષ લોઢાએ આવું કરવાનો ઇનકાર કરી દીધો.

જ્યારે તમે કોઇ કંપની છોડો છો તો હંમેશા એક પ્રક્રિયા હોય છે જેને પૂરી કરવાની જરૂરત હોય છે. પછી એ કોઇ કલાકાર હોય, કર્મચારી હોય કે પછી ટેક્નીિશિયન. બધાને કંપનીની ઔપચારિકતા પૂરી કરવી પડે છે. કોઇ પણ કંપની ઔપચારિકતા પૂરી કર્યા પહેલા બાકીનું પેમેન્ટ નથી કરતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કોઇ પણ પોપ્યુલર શોમાં એક ગુલદસ્તા અને ઇંટ પથ્થરનો પણ ભાગ હોય છે. તારક મહેતા છેલ્લા 15 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

જો કે, ક્યારેક ક્યારેક અસંતુષ્ટ ભોગ ભ્રામક જાણકારી ફેલાવવાની કોશિશ કરે છે. દરેક કંપનીની એક સિસ્ટમ હોય છે. કંપનીએ આજ સુધી કોઇ કલાકારનું બાકીનું પેમેન્ટ નથી રોક્યુ. અધૂરી જાણકારીને આધારે કોઇ કંપનીને ખોટી રીતે બદનામ કરવી એ ખોટુ છે. જણાવી દઇએ કે, આ પહેલા શૈલેષ લોઢા ધ કપિલ શર્મા શોને લઇને આપેલ એક નિવેદન લઇને ચર્ચામાં હતા. શૈલેષ લોઢાએ ધ કપિલ શર્મા શો પર નિશાન સાધતા તેને વલ્ગર જણાવ્યો હતો.

પણ બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તે ટીવી પર આવનાર વલ્ગર કોમેડી શોની આલોચના કરી રહ્યા હતા. તેમના અનુસાર, તેમનું આ નિવેદન ધ કપિલ શર્મા શો માટે નહોતુ. તેમણે કહ્યુ હતુ કે, મેં ટેલિવિઝન પર વધી રહેલી અશ્લીલતા વિશે વાત કરી હતી. કોઇ વિશે વ્યક્તિગત વાત નહોતી કરી, ના હું આવું કરીશ. કપિલ એક શાનદાર આર્ટિસ્ટ છે અને મારો સારો મિત્ર પણ છે. આ તેના વિશે બિલકુલ નહોતુ.

Shah Jina