સુશાંત સિંહ રાજપૂતની બહેનનો ચોંકાવનારો ખુલાસો… સુશાંતના મોતની એક રાત પહેલા જ થયો હતો આભાસ, ભાઈને મેસેજ કરીને કહ્યું…

મોતના ચાર દિવસ પહેલા સુશાંતની બહેનને થઇ ગયો હતો અનહોનીનો આભાસ, કહ્યું, “મેં ભાઈને મેસેજ કરીને કહ્યું હતું…”

Sushant Sister Shweta said The night before : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. અભિનેતાના મૃત્યુને ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને યાદ કરે છે. અભિનેતાની બહેન શ્વેતા કીર્તિ ઘણીવાર તેને યાદ કરે છે અને સોશિયલ મીડિયા પર તેના માટે પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ શ્વેતા કીર્તિએ કહ્યું છે કે તેણીને અહેસાસ થયો હતો કે તેના ભાઈના મૃત્યુના ચાર દિવસ પહેલા જ કંઈક અઘટિત બની રહ્યું છે. આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે તેને કેમ લાગે છે કે તેના ભાઈ સુશાંતની હત્યા કરવામાં આવી છે.

4 દિવસ પહેલા થયો હતો આભાસ :

શ્વેતા કીર્તિએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “સુશાંતના મોતના ચાર દિવસ પહેલા મેં સુશાંતને મેસેજ કર્યો હતો કે ભાઈ, કેલિફોર્નિયા આવ. આપણે સાથે બહાર જઈશું. અહી આવી જા. મારી સાથે રહો. મને ખબર ન હતી કે કેવી રીતે પરંતુ હું જાણતી હતી કે જો મારે તેને સુરક્ષિત રાખવો હોય, તો મારે તેને મારી આસપાસ રાખવો પડશે. સુશાંતે મને કહ્યું હતું કે દીદી આવવા માટે ખૂબ જ ઉત્સુક હતો પરંતુ તે સમયે કોરોનાનો સમય ચાલી રહ્યો હતો તેથી તે આવી શક્યો નહોતો. જો તે આવ્યો હોત, તો કદાચ તે બચી ગયો હોત.”

હત્યાની આશંકા :

અભિનેતાની બહેને આગળ કહ્યું, “આજે પણ મને એ વાતનો અફસોસ છે કે કાશ મેં થોડું વધારે દબાણ કર્યું હોત. હું ઈચ્છું છું કે મેં કંઈક કર્યું હોત જ્યારે મને પહેલેથી જ સમજાયું હોત કે આ એક આપત્તિ છે. તો શા માટે મેં કંઈક ન કર્યું? જો મેં કર્યું હોત તો સુશાંત આજે જીવતો હોત. શ્વેતાએ વધુમાં કહ્યું કે તેને લાગે છે કે “સુશાંત પોતાનો જીવ લઈ શકે નહીં. શરૂઆતમાં મને લાગ્યું ન હતું કે આ હત્યા છે. જ્યારે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા કામ કરતું ન હોવાનું જાણવા મળ્યું ત્યારે આશ્ચર્ય થયું હતું. અને પલંગ પર કોઈ સ્ટૂલ નહોતું કે જ્યાંથી સુશાંતે ફાંસી લગાવી હતી.

જણાવ્યું આ કારણ :

પલંગ અને પંખા વચ્ચે એટલી ઉંચાઈ ન હતી કે સ્ટૂલની જરૂર પડે. પરંતુ જો તેના હાથ પંખા સુધી પહોંચી ગયા હોય અને તેણે જાતે જ ફાંસો ખાઈ લીધો હોય, તો શરીરની સ્વયંસંચાલિત પ્રક્રિયા તરીકે તેના પગ બેડને સ્પર્શવા જોઈએ. કારણ કે જ્યારે તમે ગૂંગળામણ અનુભવો છો, ત્યારે તમે તમારા પગ પથારી પર મૂકશો. જો તેને તેના પગ રાખ્યા હોત, તો તેનો જીવ બચી ગયો હોત. “અમે હજુ પણ સમજી શકતા નથી કે જીવન કેવી રીતે ખોવાઈ ગયું.”

અમેરિકામાં રહે છે શ્વેતા :

અમેરિકામાં રહેતા સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ આ દિવસોમાં ભારતમાં છે. તેણી તેના નવા પુસ્તક ‘પેઈનઃ અ પોર્ટલ ટુ એનલાઈટનમેન્ટ’નું પ્રચાર કરી રહી છે. એટલું જ નહીં ઈન્ટરવ્યુ દરમિયાન તે તેના ભાઈ સુશાંત સિંહ રાજપૂત વિશે પણ વાત કરે છે. ત્યારે હવે આ વાત સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહી છે.

Niraj Patel