અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં આવું થયું અને ધો.12 કોમર્સના વિદ્યાર્થીનું થયું દર્દનાક મૃત્યુ, કારણ જાણીને હૈયું ફાટી જશે

આપણા રાજ્યમાં આજથી 10 માં સ્ટાન્ડર્ડની અને 12ની બોર્ડની એક્ઝામ્સ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પરીક્ષાના ફર્સ્ટ ડે જ એક ખુબ જ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ એટેક આવ્યો હતો. પછી તે સ્ટુડન્ટને હાલત ગંભીર જણાતા તેને તાત્કાલીક 108 મારફતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેનું મૃત્યુ થયું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારની એસ જી પટેલ સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શેખ મોહમ્મદ અમન મોહમ્મદ આરીફ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. આ સ્ટુડન્ટનું આજે 12 માં સામાન્ય પ્રવાહ એકાઉન્ટ વિષયના પેપરમાં પરીક્ષા શેઠ સીએલ હિન્દી હાઈસ્કૂલમાં હતી.

પરીક્ષા શરૂ થઈ એ દરમિયાન પેહલે તેને ઉલ્ટી થઈ હતી. આમ છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠો હતો, પરંતુ તેને પરસેવો થવા લાગ્યો હતો. જેથી સ્કૂલના સ્થળ સંચાલક દ્વારા 108ને કોલ કરવામાં આવ્યો હતો. જે બાદ 4:45 વાગે 108 આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનું બી પી હાઈ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટને પહેલા જ તમામ પેરેન્ટ્સ અને શિક્ષકો ઉપરાંત મંત્રીઓ દ્વારા પણ વારંવાર કહેવામાં આવતું હોય છે કે, આ ફક્ત એક પરીક્ષા છે કદાચ આમાં ફેઈલ થયા તો અન્ય મોકો મળશે. વિદ્યાર્થીઓ તેમ છતા પણ ખુબ જ ટેન્શરમાં રહેતા હોય છે. પરિણામ અને પરીક્ષા બાબતે તેઓ ખુબ જ ટેંશનમાં રહેતા હોય છે. આવી સ્થિતિમાં મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ હળવા મને પરીક્ષા આપે. આ પ્લીઝ બધાએ ધ્યાન રાખવું.

4 વર્ષ પહેલા પણ આંકલાવમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ મૃત્યુ થયું છે. તે વિદ્યાર્થી સંસ્કૃતનું પેપર લખી રહ્યો હતો અને અચાનક જ ચક્કર આવવાથી નીચે પડી ગયા બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. નીચે પડી ગયેલા વિદ્યાર્થીને આંકલાવની રેફરલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

YC