અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતની ડેડબોડી જોઇ હલી ગયા હતા હોસ્પિટલના ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર બોલ્યા- અત્યાર સુધીની મારી ડ્યુટીમાં આવી ડેડબોડી નથી જોઈ…

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગઇકાલે રાત્રે જ ખૌફનાક દુર્ઘટના બની અને આમાં 9 લોકો મોતને પણ ભેટ્યા. સેટેલાઈટ વિસ્તારમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલ ઈસ્કોન બ્રિજ પર રાતે લગભગ 1 વાગ્યા આસપાસ થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતને જોવા ઊભેલા લોકો પર તેજ રફતાર જગુઆર કાર ચઢી ગઇ અને આ દુર્ઘટનામાં એક પોલિસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન સહિત 9 લોકો મોતને ભેટ્યા.

જેગુઆર કાળ બનીને ત્રાટકી
સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ અનુસાર, રાતે લગભગ 1 વાગ્યે ઇસ્કોન બ્રિજ પર એક થાર એક ટ્રક સાથે અથડાઈ હતી અને તે બાદ આ અકસ્માતની જાણ થતા સ્થાનિક ટ્રાફિક પોલીસ અને એક હોમગાર્ડ જવાન ટ્રાફિકનું સંચાલન કરવા અને પરિસ્થિતિને સંભાળવા પહોંચ્યા. અકસ્માત થયો હોવાથી કેટલાક રાહદારીઓ સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને આ દરમિયાન જ એક જેગુઆર કાળ બનીને ત્રાટકી. આ અકસ્માત બાજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી, તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના આજના બધા કાર્યક્રમ રદ કરી અમદાવાદ આવ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે કોઇ પણ તેને જોઇ હચમચી જાય.

ડેડમોડી જોઇ ડોક્ટર્સના પણ હાલ કેવા થયા હશે
ત્યારે અકસ્માત બાદ ડેડમોડી જોઇ ડોક્ટર્સના પણ હાલ કેવા થયા હશે એ વિચારી પણ ન શકાય. કારણ કે આપણે તો સાંભળી અને વાંચી કલ્પના કરી કે આવી રીતે અકસ્માત થયો. અથવા તો કોઇએ વીડિયો જોયા અકસ્માતના અને તેઓ હચમચી ગયા. ડેડબોડી મામલે સોલા સિવિલ હોસ્પિટલના મહિલા મેડિકલ ઓફિસર ક્રિપા પટેલે ANIને જણાવ્યું કે, દોઢ વાગ્યાથી ઈજાગ્રસ્તો-મૃતદેહોને લાવવાનું કામ શરૂ થયું અને સૌથી પહેલા ઈજાગ્રસ્ત અને 3 મૃતદેહ આવ્યા. એક ઈજાગ્રસ્તની હાલત વધારે ખરાબ હતી અને તેનું અડધા કલાકમાં જ મોત થયુ, જો કે બીજા દર્દીને સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલાયો.

આવી ડેડબોડી અત્યાર સુધીની ડ્યુટીમાં પહેલીવાર જોઈ
હાલ અહીંયા કોઈ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ નથી. તેમણે કહ્યુ હતુ કે 9 મૃતદેહમાંથી એકનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને બીજાનું થાય છે. આ ઉપરાંત તેમણે કહ્યુ- આવી ડેડબોડી અત્યાર સુધીની ડ્યુટીમાં પહેલીવાર જોઈ છે. અકસ્માત બાદ મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા આ ઉપરાંત તેમણે મીડિયાની સામે કહ્યું કે અમે મૃતકોના પરિવારજનોની સાથે છીએ. અમુક લોકો પોતાની મજા માટે બેદરકારીપૂર્વક ગાડી હંકારે છે, જેના પર અંકુશ લાવવો પડશે.

Shah Jina