GT vs PBKS : ગુજરાત ટાઇટન્સને મોંઘો પડ્યો પંજાબના આ ખેલાડીનો કેચ છોડવો…પછી બોલરોની એવી ધોલાઇ કરી કે

કોણ છે પ્રિયાંશ આર્ય, જેણે IPL ડેબ્યુમાં તોડી દીધી ગુજરાતના બોલરોની કમર, રબાડા-સિરાજ કોઇને ના છોડ્યા…

ગુજરાત ટાઇટન્સને પોતાના બેટથી ધોનાર શ્રેયસ અય્યરનો સાથી જડી ચૂક્યો છે એક ઓવરમાં 6 છક્કા, રિકી પોંટિંગ કહેતા હતા- સ્પેશિયલ ઓપનર

અમદાવાદમાં રમાયેલી IPL 2025ની રોમાંચક મેચમાં શ્રેયસ ઐયરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું, અય્યરે 42 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. તેની ઇનિંગથી પંજાબ કિંગ્સે 243/5 નો વિશાળ સ્કોર બનાવ્યો. આ જીત સાથે અય્યરે પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી. આ પહેલા અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલનો ખિતાબ જીતાડ્યો હતો. પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ભલે ઐયર જીતનો હીરો હતો અને તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો, પરંતુ તેના કરતાં પ્રિયાંશ આર્યની વધુ ચર્ચા થઈ રહી છે.

પ્રિયાંશ આર્ય દિલ્હીનો રહેવાસી છે. તેના માતા-પિતા શિક્ષક છે. પ્રિયાંશે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા સંજય ભારદ્વાજની એકેડેમીમાં ક્રિકેટની તાલીમ લીધી છે. અહીંથી તેનું ક્રિકેટર બનવાનું સ્વપ્ન સાકાર થયું. આર્ય ગયા વર્ષે ઓગસ્ટમાં ચર્ચામાં આવ્યો હતો. તેણે દિલ્હી પ્રીમિયર લીગ T20 ટુર્નામેન્ટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 50 બોલમાં 120 રન બનાવ્યા હતા. આર્ય અને આયુષ બદોનીએ મળીને 286 રનની ભાગીદારી કરી હતી. તેની ઇનિંગથી દક્ષિણ દિલ્હીનો સ્કોર 308-5 થયો હતો. જો કે, આ ટુર્નામેન્ટને સત્તાવાર T20 દરજ્જો મળ્યો નથી.

24 વર્ષીય આર્ય લાંબા સમયથી ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે 2020ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે રમવાનો હતો, પરંતુ તે ટીમમાં જોડાવા માટે લાયક નહોતો કારણ કે તેણે અંડર-16 સ્તરે સત્તાવાર વય પરીક્ષણ પાસ કર્યું ન હતું. એટલે, તે ફક્ત બે વર્ષ માટે અંડર-19 ક્રિકેટ રમી શક્યો. તે દિલ્હી તરફથી અને અંડર-19 ચેલેન્જર ટ્રોફીમાં રમ્યો હતો. તેની સાથે રમનારા યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, તિલક વર્મા અને રવિ બિશ્નોઈ હવે સિનિયર ટીમમાં રમી રહ્યા છે.

આર્યએ 2021-22માં દિલ્હી માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2023-24 ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. તેણે 7 ઇનિંગ્સમાં 31.7ની સરેરાશથી રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 166.9 હતો. તેણે તમિલનાડુ સામે 47 બોલમાં 81 રન બનાવ્યા હતા. તે ટીમમાં વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, ટી નટરાજન અને આર સાઈ કિશોર જેવા બોલરો હતા. આ IPL સીઝન પહેલા નવેમ્બરમાં પંજાબે તેને 3.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી, તેણે 2024-25 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું.

આર્યએ ભુવનેશ્વર કુમાર, શિવમ માવી અને પીયૂષ ચાવલા જેવા બોલરો સામે 43 બોલમાં 102 રન બનાવ્યા. તેણે 9 ઇનિંગ્સમાં 25 ચોગ્ગા અને 23 છગ્ગા ફટકાર્યા. તેણે 40.6 ની સરેરાશ અને 176.6ના સ્ટ્રાઇક રેટથી 325 રન બનાવ્યા. IPL સીઝનની શરૂઆતમાં પંજાબના કોચ રિકી પોન્ટિંગે તેને એક ખાસ ઓપનિંગ બેટ્સમેન ગણાવ્યો હતો. તેણે પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત પણ સારી રીતે કરી. તેણે મોહમ્મદ સિરાજના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે માત્ર 23 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી. તેનો સ્ટ્રાઇક રેટ 204.35 હતો.

આ યુવા ડાબોડી બેટ્સમેન રાશિદ ખાનના સ્પિન બોલમાં ફસાઈ ગયો અને 47 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો, પરંતુ તેની ઇનિંગ્સ દરમિયાન પ્રિયાંશે મોહમ્મદ સિરાજ, રબાડા જેવા બોલરોનો સામનો કર્યો અને શાનદાર શોટ્સ રમ્યા. ગુજરાત ટાઇટન્સના બે ખેલાડીઓ અરશદ ખાન અને રાશિદ ખાને એવી ભૂલ કરી કે ટીમને 41 રનનો ફટકો પડ્યો. હકીકતમાં રાશિદ ખાન અને અરશદ ખાને મળીને એક કેચ છોડ્યો જે ગુજરાત માટે મુશ્કેલીનું કારણ બન્યો. આ કેચ પ્રિયાંશ આર્યનો હતો. પ્રિયાંશ 6 રન પર રમી રહ્યો હતો, ત્યારે તે રબાડાના બોલ પર શોટ રમ્યો, પરંતુ અરશદ ખાન અને રાશિદ ખાન બંને આ કેચ પકડી શક્યા નહીં. આ પછી પ્રિયાંશ આર્યએ વધુ 41 રન બનાવ્યા. પ્રિયાંશે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી. તેના બેટમાંથી 2 છગ્ગા અને 7 ચોગ્ગા લાગ્યા.

Previous Article

BREAKING: એક્ટર અને ડિરેક્ટર મનોજ ભારતીરાજનું હાર્ટ એટેકના કારણે થયું અવસાન, 48 વર્ષની ઉંમરે દુનિયા કહ્યું અલવિદા

Next Article

કિલર મુસ્કાનનો નવો વીડિયો આવ્યો સામે, નશાની હાલતમાં પ્રેમી સાહિલ સાથે લપટેલી જોવા મળી; જુઓ વીડિયો

error: Protected Content!