અમદાવાદથી પરત ફરતા જ દિગ્ગજ બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું થયું એક્સીડંટ, મર્સીડીઝનો બુકડો બોલી ગયો

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન આજે સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સીડન્ટમાં નિધન થઈ ગયું છે. આ સમાચાર મળતા જ દેશમાં શોક વ્યાપી ગયો છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે. પોલીસના જણાવ્યા મુજબ 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મર્સિડીઝના એરબેગ પણ ખુલ્યા, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.

પ્રાથમિક માહિતી મુજબ મર્સિડીઝ કારના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો, પછી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે મર્સિડીઝ કારમાં સવાલ લોકોની વિગત જાહેર કરી છે. એક્સીડન્ટમાં સાયરસ મિસ્ત્રીની સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ નિધન થયું છે. તો અનાયતા પંડોલે અને તેમના હસબન્ડ દરીયસ પંડોલે બહુ જ ઘાયલ થયા છે. અનાયતા મુંબઈમાં ડોકટર છે અને કાર તેઓ ડ્રાઈવ કરી રહ્યાં હતા. તેમના પતિ દરીયસ મંડોલ JM ફાયનાન્સિયલના CEO છે.

તમને જણાવી દઈએ કે આ બિઝનેસમેન 2006માં ટાટા ગ્રુપ સાથે જોડાયા હતા. તેઓ ડિસેમ્બર 2012માં આ ગ્રુપના છઠ્ઠા ચેરમેન બન્યા હતા. તેઓ ટાટા ગ્રુપના બીજા એવા ચેરમેન હતા જેની સરનેમ ટાટા નહોતી. સાયરસ મિસ્ત્રી વર્ષ 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન પદે રહ્યાં હતા.

બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ એક્સીડંટ એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયર મિસ્ત્રીનું નિધન થયું છે. આ અંગે પાલઘર જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અને પોલીસે આપેલી માહિતી મુજબ એક્સિડેન્ટ પછી સાયરસ મિસ્ત્રીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.

આ અકસ્માત કેટલો ભયાનક હતો તે એ ઘટનાસ્થળનો વીડિયો જોઈને ખબર પડે છે. કેટલાક અહેવાલ મુજબ તેઓ અમદાવાદથી મુંબઈ કાર દ્વારા જઈ રહ્યા હતા ત્યારે આજે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી છે. ટાટા સન્સના બોર્ડમાં આ બિઝનેસમેને વર્ષ 2006માં એન્ટ્રી કરી હતી.

2012ના ડિસેમ્બર મહિનામાં તેમણે ટાટા સન્સના ચેરમેન તરીકે કમાન સંભાળી હતી પછી ટાટા ગ્રુપે 18 મહિનાની પ્રક્રિયા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. જે લોકોને આ પદ માટે વ્યક્તિ શોધવાની જવાબદારી મળી હતી તેમાં બ્રિટનના પ્રભાવશાળી કારોબારી અને વાવરિક મેન્યબફેક્ચરિંગના સંચાલક લોર્ડ સુશાંત કુમાર ભટ્ટાચાર્ય, પ્રતિષ્ઠિત વકીલ શિરીન ભરૂચા અને એનએ સૂનાવાલા હતા.

પાલઘરના SP બાલાસાહેબ પાટિલે જણાવ્યું- આ બિઝનેસમેન જે ગાડીમાં સવાર હતા, તેનો નંબર MH-47-AB-6705 છે. આ ઘટના બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે આવતી સૂર્યા નદીના પુલ પર થયો. દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે બિઝનેસ ટાયકૂન તરીકે જાણીતા સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. સાયરસે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાં ભણ્યા હતા. જે બાદ તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન ગયા. તેમની પાસે લંડન બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ હતી.

YC