વિદેશની ધરતી પર ગુજરાતીનું મોત, કારમાંથી મળ્યો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ

વધુ એક ગુજરાતીનું કેનેડામાં મોત; નવસારીના આધેડનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ

મૂળ નવસારીના બોદાલીના અને કેનેડામાં રહેતા નરેન્દ્રભાઈનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાના અહેવાલ છે. કેનેડ પોલીસ અનુસાર, કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવાના કારણે નરેન્દ્રભાઈનું મોત થયું છે. જ્યારે નરેન્દ્રભાઈનું અવસાન થયું ત્યારે તેઓ ગાડીમાં હતા અને કાર બરફથી ઢંકાયેલી હતી.આ ઉપરાંત કારનો ફેન પણ ચાલુ હતો.

એવું અનુમાન છે કે ગાડીમાં અચાનક કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જવાને કારણે તેમનું મોત થયું હોઇ શકે છે. જો કે તેઓ લાંબા સામે સુધી કારમાં કેમ હતા ? તે વિશે કોઈ માહિતી સામે નથી આવી. હાલ તો આ મામલે કેનેડા પોલીસ કાર્યવાહી કરી રહી છે. નરેન્દ્રભાઈનો મૃતદેહ પીએમ માટે મોકલાયો છે, તેની વિગતો સામે આવતા વધુ માહિતી બહાર આવશે.

Previous Article

ગોંડલ : બે માળનું મકાન રિનોવેશન દરમિયાન થયુ ધરાશાયી, મચી ગઇ અફરાતફરી- ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં દબાયા

Next Article

અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના ! બે પ્લેન વચ્ચે ભીષણ ટક્કર- 2ના મોત

error: Protected Content!