સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે મુકેશ અંબાણીની બાળપણની તસવીરો, પપ્પા ધીરુભાઈની પાછળ નટખટ અંદાજ જોઈને તમે પણ ખુશ થઇ જશો, જુઓ

દેશ અને દુનિયાના સૌથી અગ્રણી ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. આ પરિવારની લક્ઝુરિયસ લાઈફ વિશે પણ લોકો જાણવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે મુકેશ અંબાણી પણ તેમની સાદગીને લઈને જાણીતા છે. એક તરફ જ્યાં તેમની પત્ની અને સંતાનો લક્ઝુરિયસ લાઈફ જીવે છે ત્યારે મુકેશ અંબાણી એકદમ સામાન્ય પહેરવેશમાં જોવા મળતા હોય છે.

ત્યારે હાલ મુકેશ અંબાણીના બાળપણનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, મુકેશ અંબાણીના બાળપણના ફોટા જોઈને તમે પણ ચોંકી જશો. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા અને વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક છે. તે પોતાની સિદ્ધિઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓએ હજારો લોકોને રોજગારી આપી છે અને દેશની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. તેમને ડિજિટલ ઈન્ડિયા ક્રાંતિ શરૂ કરવામાં મદદ કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે.

મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ એડન, યમનમાં થયો હતો. તેઓ અને તેમના પિતા ધીરુભાઈ અંબાણી બાદમાં ભારત આવ્યા હતા. એવું કહેવાય છે કે જ્યારે મુકેશ અંબાણી પહેલીવાર મુંબઈ આવ્યા ત્યારે તેઓ અને તેમનો પરિવાર ભુલેશ્વરમાં બે બેડરૂમના નાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. મુકેશ અંબાણીનો ધ્યેય વધુ પૈસા કમાવવાનો ન હતો, પરંતુ પડકારોનો સામનો કરવાનો હતો. તેમને વાંચન અને લેખનમાં ખૂબ જ રસ હતો અને ક્યારેક તે સવારે 2 વાગ્યા સુધી અભ્યાસ કરતા હતા.

મુકેશ અંબાણીને વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ ઘણો રસ હતો. એક ઈન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેમણે ધ ગ્રેજ્યુએટ ફિલ્મ જોયા બાદ કેમિકલ એન્જિનિયર બનવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી તેમને IIT બોમ્બેમાં એડમિશન મળ્યું પરંતુ તેમને છોડી દીધું અને તેના બદલે UDCT ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ એન્જિનિયરિંગમાં ગયા. રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ કરી હતી. આ સિવાય મુકેશ અંબાણીને એક ભાઈ અનિલ અંબાણી અને બે બહેનો નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર પણ છે.

મુકેશ અંબાણીની બાળપણની આ તસવીર સામે આવી ત્યારથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેને પસંદ કરી રહ્યા છે. તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે ધીરુભાઈ અંબાણી એક ખુરશીમાં બેઠા છે અને પાછળ બાળપણના મુકેશ અંબાણી ઉભા છે. જણાવી દઈએ કે ભલે આજે મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે, પરંતુ એક સમયે તેમણે તેમનું બાળપણ પણ ગરીબીમાં વિતાવ્યું હતું, તેથી તેઓ પૈસાના મહત્વને સારી રીતે સમજે છે.

Niraj Patel