હાલ એક મોટી દુર્ઘટનાની ખબર સામે આવી રહી છે. ગુરુવારે 15 જુલાઇના રોજ સાંજે એક ગામમાં કેટલાક લોકો કૂવામાં પડી ગયા. ઘટનાની વિગત જોઇએ તો, કૂવામાં એક બાળકના પડવાની સૂચના મળી હતી.
તે બાદ મોટી સંખ્યામાં ગ્રામીણો કૂવા પાસે એકઠા થઇ ગયા હતા અને તેમાંથી કેટલાક બાળકને નીકાળવા માટે કૂવાની છત પર ચઢ્યા હતા. લોકોની સંખ્યા વધારે હોવાને કારણે કૂવાની છત ધસી પડી અને 35થી 40 આસપાસ લોકો તેમાં પડી ગયા.
પ્રશાસનને ઘટનાની જાણ થતા જ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ, હાલ ઓપરેશન જારી છે, 4 લોકોના મોતની સૂચના અત્યાર સુધી સામે આવી છે અને 20 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
मध्य प्रदेश: विदिशा ज़िले के गंजबासौदा में कुएं में गिरे लोगों के लिए रेस्क्यू ऑपरेशन चल रहा है, अब तक 3 लोगों के शव बरामद हुए हैं। मंत्री विश्वास सारंग ने बताया, “19 लोगों को सुरक्षित बाहर निकाल लिया गया है, 3 शव बरामद हुए हैं।” pic.twitter.com/GGoImspBvw
— ANI_HindiNews (@AHindinews) July 16, 2021
આ ઘટના મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાંથી સામે આવી છે. શુક્રવારે સવારે સીએમએ મૃતકોના પરિવારવાળા માટે 5 લાખ અને ઘાયલો માટે 50 હજારની સહાયતાની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર આ કૂવો 40 ફૂટ ઊંડો છે અને આ ઓપરેશન JCB અને અન્ય મશીનોથી જારી છે.
मैंने सीएस, डीजीपी और एसडीआरएफ डीजी से बात की है। घटनास्थल के लिए एसडीआरएफ की टीम बचावकार्य के लिए आवश्यक उपकरणों के साथ रवाना हो गई है। कमिश्नर एवं आईजी भी रवाना हो गए हैं। मैं लगातार स्थिति का जायज़ा ले रहा हूँ और लाइव कॉन्टैक्ट में हूँ। https://t.co/zofWzM9NHs
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 15, 2021