હું કોની સાથે રંગરેલિયું કરીશ, હું તમને જણાવી દઉં કે સાયન્સ અને ટેકનોલોજી એ ઘણો વિકાસ કર્યો છે, હવે મહિલાને…

બદલાતા જમાનાની સાથે સાથે લગ્ન અને રિલેશનશિપને લઇને પણ લોકોના વિચારો બદલાતા જઇ રહ્યા છે. મોર્ડન વર્લ્ડમાં ઘણી છોકરીઓ એકલા જ જીવન ગુજારવાનું પ્રીફર કરે છે. આવું જ માનવું ટીવી શો ‘દીયા ઔર બાતી હમ’ ફેમ એક્ટ્રેસનું છે. જી હા, ટીવી એક્ટ્રેસ કનિષ્કા સોનીએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે. ચોક્કસથી તમે આ સાંભળીને ચોંકી ગયા હશો. પરંતુ આ સાચુ છે. કનિષ્કા સોનીએ તાજેતરમાં જ તેના બે ફોટા શેર કર્યા હતા,

જેમાં તે માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી. કનિષ્કા સોનીની આ તસવીરો જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફોટા પોસ્ટ કરતા કનિષ્કાએ એક એવું કેપ્શન પણ લખ્યું હતું, જેને વાંચીને લોકોના હોંશ ઉડી ગયા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે પોતાની સાથે જ લગ્ન કર્યા છે. મંગલસૂત્રમાં તેની તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું- મેં મારી જાત સાથે લગ્ન કર્યા છે.

મેં મારા બધા સપનાઓ જાતે જ પૂરા કર્યા છે અને હું જેની સાથે પ્રેમમાં છું તે એક માત્ર વ્યક્તિ છે. મારે કોઈ પુરુષની જરૂર નથી. હું મારા ગિટાર સાથે એકલા રહેવામાં હંમેશા ખુશ છું. હું દેવી છું, હું બળવાન અને શક્તિશાળી છું. મારી અંદર શિવ અને શક્તિ બધું જ છે. માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી અભિનેત્રી કનિષ્કા સોનીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

અભિનેત્રીના ફોટા પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના નિર્ણયને બહાદુર ગણાવી રહ્યા છે. એડવેન્ચરને પસંદ કરતી અભિનેત્રી કનિષ્કાએ કહ્યું, મને એડવેન્ચર ગમે છે. મને ગમતી વસ્તુઓ કરીને હું મારા દિવસને યાદગાર બનાવવા માંગુ છું. હું પાર્ટી વાળી વ્યક્તિ નથી. હું મોટાભાગની પાર્ટીઓને ટાળું છું. કનિષ્કા સોની ‘દિયા ઔર બાતી હમ’, ‘પવિત્ર રિશ્તા’ અને ‘દેવી આદિ પરાશક્તિ’ જેવા ઘણા હિટ ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.

બંને શો ‘દિયા ઔર બાતી હમ’, ‘પવિત્ર રિશ્તા’એ ટીવી જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. ચાહકો આ શોના દિવાના હતા. સાથે જ કનિષ્કાની વાત કરીએ તો તે હવે હોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેણે હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે.

Shah Jina