આને કહેવાય ભાઇ સાચો પ્રેમ ! પ્રેમી લકવાગ્રસ્ત થયો તો પણ યુવતીએ પ્રેમમાં આપેલ વચન નિભાવ્યુ, પરિવારના વિરોધ છતાં લગ્ન કર્યાં

આજકાલ પ્રેમના નામ પર હવસ ચાલી રહી છે, પ્રેમ હોય તો આવો, પ્રેમિકાએ લકવાગ્રસ્ત પ્રેમીનો સાથ ન છોડ્યો, વાંચો સ્ટોરી

આજ કાલ તમે ઘણા પ્રેમી પંખીડાઓ પ્રેમ કરવાના દાવા કરતા જોયા હશે, પણ જ્યારે નિભાવવાની વાત આવે ત્યારે કેટલીકવાર બેમાંથી કોઇ બહાના કાઢી સાથ છોડી દે છે. આમ તો કહેવાય છે કે પ્રેમમાં માણસ ગમે તે હદે જવા તૈયાર હોય છે અને પ્રેમ એ તો પામવાનું નામ છે. જો પ્રેમ સાચો હોય તો કોઈ બંધન આડે નથી આવતા. તમે ઘણીવાર એવુ જોયુ હશે કે સંકટની ઘડીએ બેમાંથી કોઇ સાથ છોડીને જતું રહે છે.

પણ ઘણા એવા પણ કિસ્સા એવા છે, જેમાં મરતા દમ સુધી પ્રેમી પંખીડાઓ ગમે તે સ્થિતિમાં સાથ નિભાવે છે. ત્યારે હાલમાં ગુજરાતના ગોધરા શહેરમાંથી જ આવો એક કિસ્સો સામે આવ્યો. વર્ષ 2008માં ગોધરાના સોનીવાડમાં રહેતા નીતિન શર્માને નોકરી દરમિયાન ઊર્મિલા કટારા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો અને બંને વચ્ચે નોકરી કરતા કરતા પ્રેમ પાંગર્યો હતો. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જે બાદ બંનેએ એકબીજાને જીવનભર સાથ આપવાનું નક્કી કર્યું અને પરિવારને આ વાતની જાણ કરી. પરિવાર પણ રાજીના રેડ થઈ ગયો અને તેમણે બંનેને લગ્ન માટે હા પાડી દીધી. જો કે, વર્ષ 2017માં અચાનક નીતિન શર્માનું બીપી વધી ગયુ, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યારે તેના શરીરના ડાબા ભાગે કામ કરવાનું બંધ કરી દીધુ તેવું જાણવા મળ્યુ અને તે લકવાગ્રસ્ત થયો.

નીતિન શર્મા એકાએક પથારીવશ બન્યો અને આ જાણીને ઊર્મિલા ચિંતિત બની પણ તે તરત નીતિન પાસે દોડી આવી હતી અને તેને હિંમત આપી. નીતિન પથારીવશ હોવા છતા તેણે એ ચિંતા ન કરી કે તે ક્યારે સાજો થશે પણ તેણે કહ્યું કે, હુ લગ્ન તો તારી સાથે જ કરીશ. પરિવારજનો નીતિનની બીમારીને લઇને અસમંજસમાં હતા. છતાં પ્રેમિકાએ લગ્ન કરીશ તો નીતિન સાથે જ કરીશ તેવું પરિવારને જણાવી દીધું હતું.

ઊર્મિલાના મક્કમ નિર્ણયને કારણે તેમનો પ્રેમ ટકી રહ્યો અને પછી તેઓ વર્ષ 2022માં લગ્નના બંધનમાં બંધાયા. ઊર્મિલાના પ્રેમને કારણે નીતિન જલ્દીથી સાજો પમ થઈ ગયો અને આજે હરતોફરતો પણ થઈ ગયો છે. તે સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય પણ કરે છે. ચૈત્રી નવરાત્રીમાં બંને પતિ પત્નીએ પાવાગઢ પગ યાત્રા પણ કરી હાલ બંને હસીખુશીથી પોતાની જિંદગી જીવી રહ્યા છે.

Shah Jina