ધનુ સંક્રાતિ પર સૂર્યની જેમ ચમકશે ભાગ્ય, રાશિ અનુસાર કરો આ ઉપાય

સૂર્યની જેમ ચમકી ઉઠશે ભાગ્ય, ધનુ સંક્રાતિ પર રાશિ અનુસાર કરી લો આ ખાસ ઉપાય

સૂર્યનું બીજી રાશિમાં પ્રવેશ સંક્રાંતિ કહેવાય છે. ડિસેમ્બરમાં સૂર્ય 16 ડિસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. એવામાં દાન-પુણ્યનું વિશેષ મહત્વ હોય છે. એવામાં આ દિવસે રાશિ અનુસાર દાન કરવું લાભદાયી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસો દાન કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના બધા દુખ પણ દૂર થાય છે.

મકર રાશિવાળા ધનુ સંક્રાંતિ પર કાળા ધાબડા અને તેલનું દાન કરો, આનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ખરાબ શક્તિઓ દૂર રહે છે.

કુંભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુ સમક્ષ તલના તેલના અગિયાર મુખી દીપક પ્રગટાવો, સાથે જ શ્રી હરિના મંત્રોનો જાપ કરવાથી માનસિક-શારીરિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

મીન રાશિના લોકોએ સૂર્યોદય પહેલા પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરવું જોઈએ અને સંતાન પ્રાપ્તિ માટે સૂર્ય ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. આનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.

આ દિવસે ગોળથી બનેલી વાનગીઓનું દાન તુલા રાશિ માટે શુભ રહેશે. આનાથી પારિવારિક સુખ મળશે.

વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે પરવાળા અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો નાશ થાય છે અને માનસિક શાંતિ મળે.

સૂર્ય આ રાશિમાં સંક્રમણ કરશે, આવી સ્થિતિમાં ધન સંક્રાંતિના દિવસે સૂર્યની ઉપાસના કરવાથી માન-સન્માન મળશે. પ્રમોશન માટે સૂર્ય મંત્રનો જાપ કરો.

કર્ક રાશિવાળા સૂર્યદેવને ઘી અને ચોખાની ખીચડી અર્પણ કરો. આમ કરવાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સિંહ રાશિના જાતકોએ તાંબાના લોટામાં શુદ્ધ જળ, પુષ્પ અને લાલ ચંદન મેળવી સૂર્યને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધશે.

આ દિવસે કન્યા રાશિના લોકો ભગવાન વિષ્ણુનો દૂધમાં તલ ભેળવીને અભિષેક કરવો અને તુલસી દલ પણ અર્પિત કરો. તેનાથી રોગોથી રાહત મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન સંક્રાંતિના દિવસે મેષ રાશિના લોકોએ આ દિવસે ગોળનું દાન કરવું જોઈએ. તેનાથી આર્થિક લાભ થશે. બીજી તરફ ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે થોડો ગોળ અને ચોખા લો અને તેને વહેતા પાણીમાં વહેવા દો.

સુખ અને સૌભાગ્ય વધારવા માટે વૃષભ રાશિના લોકોએ સ્નાન કરતી વખતે પાણીમાં તલ નાંખવા જોઈએ. ચોખા, દહીં અને તલ જેવી સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે.

મિથુન રાશિવાળી ગાયને લીલો ચારો ખવડાવો. આમ કરવાથી વ્યક્તિની કુંડળીમાંથી ચંદ્ર અને શુક્ર દોષ દૂર થાય છે. સાથે જ બરકત રહે છે.

Shah Jina