ખચાખચ ભીડ અને બૂમ…ટ્રાફિક સિગ્નલ પર એટલી જોરથી થયો ધમાકો કે કેમેરા પણ તૂટી ગયા- દિલ્હીમાં કાર ધમાકાનો પહેલીવાર સામે આવ્યો વીડિયો

પહેલીવાર સામે આવ્યા દિલ્હી બ્લાસ્ટના CCTV; ખચાખચ ભીડ અને બૂમ…ટ્રાફિક સિગ્નલ પર એટલી જોરથી થયો ધમાકો કે કેમેરા…

દિલ્લીમાં લાલ કિલ્લાની સામે થયેલા ભયંકર કાર ધમાકાનું CCTV ફૂટેજ સામે આવ્યું છે. આ ફૂટેજ સુરક્ષા એજન્સીઓ માટે એક અગત્યનો પુરાવો ગણાઈ રહ્યો છે. આ બ્લાસ્ટ જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદી ડૉ. મોહમ્મદ ઉમરની i20 કારમાં થયો હતો. જણાવી દઈએ કે બ્લાસ્ટમાં 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને તેની તપાસ NIA ને સોંપી દેવામાં આવી છે.ચાંદની ચોકની દેખરેખ કરતા CCTV કંટ્રોલ રૂમમાં હાજર આ ફૂટેજમાં, બ્લાસ્ટ થતાં જ એક જોરદાર ‘લાલ ફુગ્ગા’ જેવો ધમાકાનો દ્રશ્ય દેખાઈ રહ્યો છે.

ફૂટેજમાં સ્પષ્ટપણે રેડ ફોર્ટ ચોક પાસે તે સ્થળ દેખાઈ રહ્યું છે, જ્યાં આ આતંકી ઘટના બની હતી. આ ફૂટેજ સાંજે 6 વાગીને 50 મિનિટનું છે. ચાર વિન્ડો વાળા આ CCTV ફૂટેજમાં તે સમયે ભીડભાડ ભરેલી હિલચાલ દેખાઈ રહી છે. આ દરમિયાન, અચાનક એક જોરદાર બ્લાસ્ટ થાય છે. જે CCTV કંટ્રોલ રૂમમાં કેદ થઈ ગયો.NIA એ દિલ્લી બ્લાસ્ટ કેસની તપાસ ઝડપી કરી દીધી છે. હરિયાણાના ફરીદાબાદથી જે ડૉક્ટર મુજમ્મિલ શકીલના બે ઠેકાણાઓથી 2900 કિલો વિસ્ફોટક મળી આવ્યા હતા, તેના ફોનની તપાસથી ખબર પડી છે કે તેમની યોજના 26 જાન્યુઆરી અને દિવાળી વખતે લાલ કિલ્લા પર ધમાકો કરવાની હતી.

પૂછપરછમાં સામે આવ્યું છે કે ડૉક્ટર મુજમ્મિલ અને ડૉક્ટર ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી. ગયા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પણ લાલ કિલ્લાની રેકી કરવામાં આવી હતી.દિલ્લી બ્લાસ્ટના તાર ફરીદાબાદ જ નહીં હરિયાણાના મેવાત સાથે પણ જોડાતા દેખાઈ રહ્યા છે. અહીંથી મૌલવી ઈસ્તાકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મૌલવી ઈસ્તાકને જમ્મુ કાશ્મીર લઈ જવામાં આવ્યા છે.

તેમની પાસેથી NIA અને જમ્મુ કાશ્મીર પોલીસ સંયુક્ત રીતે પૂછપરછ કરી રહી છે. કથિત રીતે મૌલવી ઈસ્તાકે ડૉક્ટર મુજમ્મિલને પોતાનો ઓરડો ભાડે આપ્યો હતો. ફરીદાબાદના ફતેહપુર તગા ગામમાં હાજર આ ઓરડામાં 2500 કિલોથી વધુ વિસ્ફોટક મળ્યા હતા. મુજમ્મિલે બે ઓરડા લીધા હતા જ્યાંથી કુલ મળીને 2900 કિલોથી વધુ વિસ્ફોટક મળ્યા હતા. હવે તપાસ એજન્સી NIA મૌલવી પાસેથી પૂછપરછ કરી રહી છે.અત્યાર સુધીમાં આશરે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને દેશના વિવિધ ભાગોમાં દરોડા ચાલુ છે.

દિલ્હી વિસ્ફોટના પીડિતોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વિસ્ફોટથી ઘણા લોકોના કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા. કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ દર્દીઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. મૌલાના આઝાદ મેડિકલ કોલેજના શબઘરમાં અત્યાર સુધીમાં આઠ પીડિતોની ઓળખ કરવામાં આવી છે અને તેમના મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો હજુ પણ ઓળખાયા નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!