ટીવીના સેલિબ્રિટીની દીકરીને જન્મના 5 દિવસ બાદ થઇ આ બીમારી, ખતરનાક લેવલ પર પહોંચી ગઇ, ફેન્સ પણ પ્રાર્થના કરવા લાગ્યા

માતા બનવું એ એક એવો અનુભવ છે જેને કોઈ પણ સ્ત્રી શબ્દોમાં વર્ણવી શકતી નથી. જેવી તે માતા બને છે અચાનક તે બાળક સાથે ઊંઘવા, જાગવા, વાત કરવા અને શ્વાસ લેવા લાગે છે. બીજી તરફ જો લગ્નના 11 વર્ષ બાદ મા બનવાનું સુખ મળે છે તો આ ખુશી સાતમા આસમાન પર પહોંચી જાય છે. ટીવીની સીતા એટલે કે અભિનેત્રી દેબીના બેનર્જી આવા જ સુંદર અહેસાસમાંથી પસાર થઈ રહી છે. દેબીના બેનર્જી દરરોજ તેની પુત્રી લિયાના સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.આ સાથે તે પોતાની રાજકુમારીની દિનચર્યા વિશે પણ જણાવતી રહે છે.

પરંતુ હાલમાં જ દેબિનાએ તેની દીકરી સાથે જોડાયેલ એક એવા સમાચાર શેર કર્યા, જેને સાંભળીને બધા જ પરેશાન થઈ ગયા. ખરેખર, દેબીનાની પુત્રી લિયાના કમળા (કમળો) નો શિકાર બની હતી. લિયાના જન્મના 5 દિવસ પછી આ રોગની ઝપેટમાં આવી હતી. લિયાનાને લેવલ 19 નો કમળો હતો. દેબિનાએ એક વ્લોગ શેર કરીને આ વિશે જણાવ્યું હતું. વીડિયોમાં દેબિના કહી રહી છે કે લિયાનાના જન્મના પાંચ દિવસ બાદ જ્યારે તે તેના બાળકનું ચેકઅપ કરાવવા હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરે બાળકીને જોઈ અને કહ્યું કે તે કમળાનો શિકાર બની ગઈ છે.

દેબીના આગળ કહે છે- ‘લિયાનાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પછી જાણવા મળ્યું કે લિયાનાને કમળો છે, જેનું લેવલ 19 છે. 15 લેવલથી ઉપરના જૉન્ડિન્સ જોખમી છે, તેથી લિયાનાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. દેબિનાએ વધુમાં જણાવ્યું કે લિયાનાને 19ના લેવલનો કમળો થયો હતો.પ્રક્રિયા વિશે વિગતવાર જણાવતા દેબીનાએ કહ્યું, બાળકને માત્ર ડાયપર પહેરવામાં આવે છે અને તેની આંખો ચશ્માથી ઢંકાયેલી હોય છે જેથી પ્રકાશના કિરણોના લીધે નુકસાન ન થાય.

પરંતુ લિયાનાને 2 બિલી લાઇટ્સમાં મૂકવામાં આવી હતી.” દેબીના બેનર્જીએ કહ્યું, “હું પીડા અને તણાવમાં હતી. ગુરુને પણ લાગ્યું કે કંઈક ખોટું છે કારણ કે લિયાનાની આંખો પીળી હતી. અગાઉ ડૉક્ટર પાસે ન જવા માટે અમે પોતાને દોષી ઠેરવ્યા. પરંતુ બધાએ અમને ખાતરી આપી કે લિયાના ઠીક થઈ જશે. અમને કહેવામાં આવ્યું હતું કે 90 ટકા બાળકો કાં તો કમળા સાથે જન્મે છે અથવા તેમને જન્મ પછી કમળો થાય છે.” ડૉક્ટરોએ તેમને કહ્યું કે લિયાના બીચ બેબી બનવા જઈ રહી છે.

તેણે કહ્યું, “ડોક્ટરોએ મને કહ્યું, ‘તે કવીનની જેમ સૂતી હતી. તમે તેને ગોવા લઈ જાઓ, તે શાંત થઈ જશે. તે 24 કલાક સુધી રડતી ન હતી અને સૂતી હતી.” દેબીનાએ જણાવ્યું કે બીજા દિવસે કમળાનું સ્તર ઘટીને 10 થઈ ગયું અને લિયાનાને ઘરે લઈ જવી સલામત હતી. દેબીના બોનરજીએ એમ પણ કહ્યું કે લિયાના ખૂબ જ શાંત બાળક છે અને બિલકુલ રડતી નથી. તે કહે છે, “તે ગુરુ પર ગઈ છે. હું તેને મિની ગુરુ કહું છું.” જણાવી દઇએ કે, દેબીના અને ગુરમીત 3 એપ્રિલે લિયાનાના માતા-પિતા બન્યા હતા.

Shah Jina