‘ઇસ પ્યાર કો કયા નામ દૂં’ ફેમ એક્ટ્રેસ દલજીત કૌરે હટાવી પતિની સરનેમ ! હજુ તો લગ્નને એક વર્ષ પણ નથી થયુ ને તૂટવાની કગાર છે લગ્ન?

દલજીત કૌરે હટાવી પતિની સરનેમ, જલ્દી છૂટાછેડા લઇ શકે છે, પતિ સાથે હટાવી લગ્નની તસવીરો, બોલી- બાળકો પર અસર…- રિપોર્ટ

‘ઇસ પ્યાર કો કયા નામ દૂં’ ફેમ એક્ટ્રેસ દલજીત કૌરે તેના બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે માર્ચ 2023માં જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. જો કે, હજુ તો લગ્નને એક વર્ષ નથી થયુ ત્યાં બંનેના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવાઇ રહ્યુ છે કે દલજીત અને નિખિલનું લગ્ન જીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

દલજીત કૌર અને નિખિલ પટેલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એકબીજા સાથેની તસવીરો હટાવી દીધી ત્યારથી જ દલજીત કૌરના ચાહકો આ સવાલ પૂછી રહ્યા છે. જો કે, અભિનેત્રીના પ્રવક્તાએ તેના વતી એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે પારિવારિક કારણોસર ગયા મહિને જાન્યુઆરીના મધ્યમાં ભારતમાં હતી.

દલજીત કૌરના પ્રવક્તાએ તેમના નિવેદનમાં લખ્યું હતું કે, ‘હું કહેવા માંગુ છું કે દલજીત પિતા અને માતાની સર્જરીને કારણે પુત્ર સાથે ભારતમાં છે. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે દલજીત આ સમયે કોઈપણ મુદ્દા પર ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે તેનાથી તેના બાળકો પર અસર થશે. કૃપા કરીને બાળકોની પ્રાઇવસીનો આદર કરો તેમજ આને તેમના નિવેદન તરીકે ધ્યાનમાં લો.’

દલજીત કૌરે ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મારી પ્રથમ ફિલ્મ ‘દશમી’ રીલિઝ થઈ છે અને તેનું પ્રીવ્યુ તાજેતરમાં યોજવામાં આવ્યું હતું. મારી જાતને મોટા પડદા પર જોવાનો આ મારો પહેલો અનુભવ હતો, જે ખૂબ જ સુંદર હતો. તે ખૂબ જ સારો અનુભવ હતો. હું અહીં પ્રીમિયર માટે આવ્યો હતો, પરંતુ ભારતમાં રહેવાનું સાચું કારણ મારા પિતાની ઘૂંટણની સર્જરી છે. તે બેંગ્લોરમાં છે.

દલજીત કૌરે ગયા વર્ષે માર્ચમાં નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીના આ બીજા લગ્ન છે. તેણે પહેલા લગ્ન અભિનેતા શાલીન ભનોટ સાથે કર્યા હતા, જેની સાથે તેને એક પુત્ર છે. બીજા લગ્ન બાદ કપલ કેન્યા ચાલ્યુ ગયુ હતુ.

Previous Article

લંડનમાં ભારતીય યુવતિનો જલવો, દુલ્હન બની ફરતી જોવા મળી- ફિરંગીઓના ખુલ્લા રહી ગયા મોં

Next Article

રિક્ષાવાળો બોલ્યો એવું ગજબ અંગ્રેજી કે ઇન્ટરનેટ પર થઇ ગયો હિટ, ભૂરિયાઓ પણ થઇ ગયા ઇમ્પ્રેસ- જુઓ વીડિયો

error: Protected Content!