અઠવાડિયાના આ દિવસે નખ કાપવા એ બનાવી શકે છે તમને લખપતિ…કુબેરદેવ ખાલી નથી થવા દેતા ધન ભંડાર

Best Day To Cut Nails: ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે રાત્રે નખ ન કાપવા જોઈએ. ઘણી વખત વડીલો આપણને મંગળવાર, ગુરુવાર અને શનિવારે પણ નખ કાપવાની મનાઈ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં નખ કેમ ન કાપવા જોઈએ ? નખ કાપવા અંગેના કેટલાક નિયમો જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. કહેવાય છે કે સાંજના સમયે નખ ન કાપવા જોઈએ, તેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. બીજી તરફ જ્યોતિષશાસ્ત્રમાં, અઠવાડિયાના દરેક દિવસ નખ કાપનાર વ્યક્તિ પર અલગ-અલગ અસર કરે છે. જાણો કયા દિવસે નખ કાપવા શુભ અને કયા દિવસે અશુભ માનવામાં આવે છે.

આ દિવસે નખ કાપવા શુભ છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક સપ્તાહમાં એક યા બીજા ગ્રહનો કારક હોય છે. શાસ્ત્રોમાં ગુરુવાર, શનિવાર અને મંગળવારના દિવસે નખ કાપવાની મનાઈ છે. આ દિવસે નખ કાપવાથી મંગળ, ગુરુ અને શનિનો અશુભ પ્રભાવ પડે છે. શાસ્ત્રોમાં સાંજે અને રાત્રે પણ નખ કાપવાની મનાઈ છે. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી અથવા રાત્રે નખ કાપવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસા સંબંધિત સમસ્યા રહે છે.

આર્થિક સ્થિતિમાં થાય છે સુધારો
શાસ્ત્રો અનુસાર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે નખ કાપવા શુભ માનવામાં આવે છે. સોમવારે નખ કાપવાથી તમોગુણમાં કમી આવે છે. બુધવારે નખ કાપવાથી કરિયરમાં પ્રગતિ થાય છે. શુક્રવારે નખ કાપવાથી ધનલાભ થાય છે. બીજી તરફ રવિવારે નખ કાપવા પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

ધ્યાનમાં રાખો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નખ અને વાળ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના નખ અને વાળ સાફ નથી રાખતા તેના પર શનિદેવ ગુસ્સે થાય છે અને તેને ખૂબ જ પીડા આપે છે. આવી વ્યક્તિને જીવનમાં ગરીબીનો પણ સામનો કરવો પડે છે.

Shah Jina