મધ્ય કોલંબિયાના શહેર મેડેલિનમાં એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ. પ્લેનમાં 8 લોકો સવાર હતા, જેમના મોત થઇ ચૂક્યા છે. જે મકાન સાથે પ્લેન ટકરાયુ તેના અંદરના રહેવાસી કોઇ પણ વ્યક્તિના ઘાયલ થવાની કે મોત થવાની હાલ સૂચના સામે આવી નથી. કોલંબિયાના એવિએશન અધિકારોનું કહેવુ છે કે ઓલાયા હેરેરા એરપોર્ટથી ટેક ઓફ કર્યા બાદ પ્લેન દુર્ઘટનાનો શિકાર થઇ ગયુ હતુ.
અકસ્માતમાં મૃતકોની ઓળખ 6 યાત્રિઓ અને ચાલક દળના બે સભ્યોના રૂપમાં થઇ છે. હાલ તો દુર્ઘટનાના કારણોની જાણ નથી થઇ. મેડેલિનના મેયર ડેનિયલ ક્વિંટરોએ એક નિવેદનમાં કહ્યુ કે, ટેકઓફ દરમિયાન પ્લેનનું એન્જીન ફેલ થવાની સૂચના મળી હતી. કોલંબિયાના ઉડ્ડયન અધિકારીઓનું કહેવું છે કે ઓલાયા હેરેરા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ થયું હતું. અકસ્માતમાં મૃતકોની ઓળખ છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર તરીકે કરવામાં આવી છે.
ટેરોએ વધુમાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ પાયલોટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો અને પ્લેન ક્રેશ થયું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સાત મકાનો ધરાશાયી થયા હતા અને અન્ય છ ઈમારતોને નુકસાન થયું હતું. ઘટના બાદ તરત જ ફાયર એન્જિન અને ઇમરજન્સી કામદારોએ મોરચો સંભાળ્યો હતો. પ્લેન એક ટ્વીન-એન્જિનવાળું પાઇપર હતું જે મેડેલિનથી ચોકોમાં પિઝારોની મ્યુનિસિપાલિટી તરફ જઈ રહ્યું હતું.
જે મકાનમાં વિમાન અથડાયું હતું તે ઘરનો ઉપરનો માળ લગભગ નાશ પામ્યો છે. મકાનની ટાઈલ્સ અને ઈંટોની દીવાલ તૂટીને વેરવિખેર થઈ ગઈ હતી. તેમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી હતી. મેડેલિન એંડીઝ પર્વતોથી ઘેરાયેલી સાંકડી ખીણમાં સ્થિત છે. 2016માં, બ્રાઝિલની ચેપેકોએન્સ ફૂટબોલ ટીમને લઈ જતું વિમાન ક્રેશ થયું હતું.
ઈંધણ ખતમ થઈ જવાને કારણે આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. શહેરની બહાર પહાડોમાં થયેલા આ અકસ્માતમાં 16 ફૂટબોલ ખેલાડીઓ સહિત 71 લોકોના મોત થયા હતા. વિમાનમાં કુલ 77 લોકો સવાર હતા. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા કોલંબિયામાં એક ભયાનક બસ અકસ્માત થયો હતો. આ બસ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા. આ સિવાય અકસ્માતમાં 14 લોકો ઘાયલ થયા છે.
#Accidente Aéreo en #Medellin.
Avioneta cae sobre viviendas en el sector de Belén Rosales, en Medellín.
Hilo 👇 pic.twitter.com/tNfDJE5I8I
— AER 🚑 Rescate (Emergencia) (@emergencyjag) November 21, 2022