અંજુના પાકિસ્તાન ગયા બાદ પિતા અને પરિવારની વધી મુશ્કેલીઓ, ગામવાળાએ આપી દીધુ અલ્ટીમેટમ કે નવી જગ્યા શોધી લો

અંજુ પાકિસ્તાન ગઈ ત્યારથી બિચારા પિતા ભરાઈ ગયા  ગામ લોકોએ કહ્યું, નવી જગ્યા શોધી લો, જાણો સમગ્ર મામલો

Anju Father In Trouble : પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન ગયેલી અને ત્યાં નિકાહ કરી તેમજ ધર્મ બદલી ફાતિમા બની ગયેલી અંજુના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અંજુના પિતા અને પરિવારને હવે ગામની બહાર નીકાળવાની યોજના ઘડાઇ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે અંજુના કારણે ગામનું નામ ખરાબ થઈ રહ્યું છે, જેના કારણે તેઓ ગયા પ્રસાદ થોમસને નવી જગ્યા શોધવાનું કહી રહ્યા છે. જણાવી દઈએ કે, પોતાના બાળક અને પતિને ભારતમાં છોડી અંજુ તેના કથિત પ્રેમી સાથે પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાન ગયેલી અંજુના પિતા અને પરિવારની મુશ્કેલીઓ વધી
પાકિસ્તાનમાંથી અંજુની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે અંજુએ નસરુલ્લા સાથે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, પણ આ મામલે અંજુ અને નસરુલ્લા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ગામલોકોને પૂછવામાં આવ્યું કે જો અંજુ તેના પિતાને મળવા આવે તો તેઓ શું કરશે. તેના પર જવાબ આવ્યો કે જો આવી વાત આવશે તો પિતા અને પરિવારને પણ ગામની બહાર કાઢી મુકીશું.

ગામવાળાએ કહ્યુ-નવી જગ્યા શોધી લો
ગ્રામજનોએ કહ્યું, “અલબત્ત ભારત સરકાર આ બાબતે તપાસ કરી રહી છે. પરંતુ અમે તેને અહીં પ્રવેશવા નહીં દઈએ. વિરોધ કરવાની જરૂર નથી. કારણ કે અમારું ગામ એક સમૂહનું છે. વાત કરવાની બિલકુલ જરૂર રહેશે નહીં. તે પણ જાણે છે કે ગામ કેવું છે. તેને અહીં પ્રવેશવા દેવામાં આવશે નહીં.” અંજુ કેસ બાદ તેના પિતા ગયા પ્રસાદ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તે કહે છે, “બેશક તપાસકર્તાઓ આવે અને અમારી તપાસ કરે, અમને કોઇ પરેશાની નથી. અમારી પાસે કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી અને હું આવું વર્તન કરતો નથી.

પિતાએ વ્યક્ત કર્યુ દર્દ
હું એક સરળ વ્યક્તિ છું હું કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. તે મારા ખરાબ કાર્યો હશે કે મને આ સજા મળી રહી છે. મારા મનની પીડા કોઈ સમજી શકતું નથી કે આ સમયે મારા પર શું વીતી રહ્યું છે.ગયા પ્રસાદે કહ્યું, ”અંજુના કારણે મારો આખો પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મારા પુત્રની નોકરી ગઈ. મારો પરિવાર તિનકાની જેમ વેરવિખેર થઈ ગયો. હવે અમે ફક્ત ભગવાનને વિનંતી કરીએ છીએ કે અમને ઉઠાવી લો. આવી રીતે અમારાથી નથી રહેવાતુ.

Shah Jina