NCBની પૂછપરછ પહેલા અનન્યા પાંડે રડી પડી હતી, જાણો આર્યન ખાન કેસ સાથે કેવી રીતે જોડાયેલુ છે અનન્યાનું કનેક્શન

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે ડગ કેસને લઇને NCBના સકંજામાં ફસાઇ ગઇ છે. ગુરુવારના રોજ આર્યન ખાન ડગ કેસને લઇને NCBએ અનન્યા પાંડે સાથે 2 કલાકની પૂછપરછ કરી હતી અને શુક્રવારના રોજ ફરી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. આ દરમિયાન તેની લગભગ 4 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી. NCBને અનન્યા અને આર્યન વચ્ચે નશાની વાતને લઇને થયેલી ચેટ મળી હતી, જેને કારણે NCBએ તેને સમન મોકલ્યુ હતુ અને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યુ હતુ. NCBએ અનન્યાને ડગને લઇને સવાલ કર્યા હતા.

પહેલા દિવસે પૂછપરછમાં અનન્યા તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ આવી હતી. ઇંટેરોગેશન રૂમમાં દાખલ થયા પહેલા અનન્યા ઘણી નર્વસ હતી અને પિતા ચંકી પાંડેને વળગી રડી પડી હતી. બાદમાં ઇંટેરોગેશન રૂમમાં અનન્યા એકલી દાખલ થઇ જયાં તેણે NCB અધિકારીના સવાલના જવાબ આપ્યા.

આજતક/ઇન્ડિયા ટુડેને મળેલ જાણકારી અનુસાર, આર્યન ખાન અને અનન્યા પાંડેની ચેટમાં એક જગ્યાએ આર્યન અનન્યા સાથે ગાંજાને લઇને વાત કરી રહ્યા છે. આર્યન પૂછી રહ્યા છે કે કંઇ જુગાડ થઇ શકે છે. અનન્યાએ જવાબ આપતા કહ્યુ કે, હું અરેંજ કરી દઇશ. જયારે NCBએ આ અંગે અનન્યાને સવાલ કર્યો હતો.

અનન્યાએ એવું કહ્યુ કે, તે ખાલી મજાક કરી રહી હતી. અનન્યાએ NCB અધિકારીઓને જણાવ્યુ કે, તેની આર્યન સાથે જે ચેટ બહાર આવી છે, તે ડગ વિશે નહિ પરંતુ સિગારેટ વિશે છે. બંને વચ્ચે સિગારેટને લઇને વાત થઇ રહી હતી. અનન્યાએ જણાવ્યુ કે, તેણે કયારેય ડગનું સેવન કર્યુ નથી.

NCB અનુસાર, એવી કોઇ સાબિતી મળી નથી કે જેનાથી ખબર પડી શકે કે અનન્યાએ આર્યન માટે કયારેય ડગ અરેન્જ કરાવ્યુ છે કે નહિ. આર્યન-અનન્યા વચ્ચે નશાને લઇને એકવાર નહિ પરંતુ ઘણીવાર વાતચીત થઇ છે.

Shah Jina