રેઇનકોટ સ્વેટર કાઢી રાખજો: માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી ભુક્કા કાઢી નાખે એવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, હોળી પહેલા હવામાનમાં આવશે પલટો

રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઇ રહી છે, પવનની દિશા બદલાવાને કારણે ઠંડીમાં પણ વધ-ઘટ જોવા મળી રહી છે. જો કે લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. વહેલી સવારે ઠંડીનો અહેસાસ જ્યારે બપોર થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે કૃષિ પાક પર પણ અસર પહોચી રહી છે. જો કે, આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે.

19 ફેબુઆરી દરમિયાન આવી રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 19થી22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે અને તેને કારણે ભારે બરફ વર્ષા, પવનના તોફાનો તેમજ હિમ ચાદર બનવાની શક્યતા રહેશે. 25-26 ફેબ્રુઆરીના રોજ સવાર-સાંજ ઠંડી આવવાની શક્યતા જ્યારે 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન ઉતર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતના તાપમાનમાં 11 ડિગ્રી નીચુ જવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી પડશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ.

ગાંધીનગરમા તાપમાનમાં 12 ડિગ્રી નીચુ જવાની શક્યતા જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. કચ્છમાં લધુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જ્યારે સૌરાષ્ટ્રમાં તેમજ સુરત સુધીના ભાગોમાં વાદળછાયું વાતાવરણમ રહેવાની શક્યતા રહેશે. 26થી29 ફેબુઆરી દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરી સિવાય માર્ચને લઇને પણ અંબાલાલ પટેલે શક્યતાઓ જણાવી છે. 3થી5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જ્યારે 5થી 7 માર્ચ દરમિયાન ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

જ્યારે 19થી29 ફેબ્રુઆરીમાં વાતાવણમાં પલટો આવશે. 7-8 માર્ચ દરમિયાન વાતાવણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે, જ્યારે 11-12 માર્ચ દરમિયાન ભારે પવન ફુકાશે અને હવામાનમાં મોટો પલટો આવશે. 19 માર્ચના રોજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. હોળી પહેલા હવામાનમાં મોટા પલટા આવશે અને અમુક વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા રહેશે.

Shah Jina