BREAKING : વધુ એક દિગ્ગજ અભિનેતાનું થયુ નિધન, આ ડાયરેક્ટર બોલ્યા- આજે સાચે અનાથ થઇ ગયો

મનોરંજન જગતથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા સમય પહેલા ટીવી ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી અભિનેતા નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું અવસાન થયુ હતુ, તે બાદ રામાયણ ધારાવાહિકના રાવણનું નિધન થઇ ગયુ હતુ. તે બાદ ગઇકાલે જ કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું નિધન થયુ હતુ ત્યારે હવે વધુ એક દિગ્ગજ અભિનેતાના નિધનની જાણકારી સામે આવી છે.

બોલિવૂડ ફિલ્મો અને ટીવીના દિગ્ગજ અભિનેતા યુસુફ હુસૈનનું નિધન થયું છે. યુસુફના નિધનના સમાચાર પ્રખ્યાત નિર્દેશક હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. હંસલે યુસુફના નિધન પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. હંસલ મહેતાએ પોતાના ટ્વિટર પર લખ્યું, ‘મેં શાહિદની ફિલ્મના બે શેડ્યૂલ પૂરા કર્યા છે. હું અધવચ્ચે જ અટવાઈ ગયો.

મને ચિંતા હતી કે મારી ફિલ્મ નિર્માતા તરીકેની કારકિર્દી ખતમ થવાની છે. તે (યુસુફ હુસૈન) મારી પાસે આવ્યા અને કહ્યું કે જો તમે એટલા ચિંતિત હોવ તો મારી પાસે ફિક્સ ડિપોઝીટ છે અને તે મારા માટે કોઈ કામની નથી. તેમણે ચેક આપ્યો અને શાહિદની ફિલ્મ પૂરી થઈ.

હંસલ મહેતા આગળ લખે છે, તેઓ મારા સસરા પિતા નહોતા. તે આજે ચાલ્યા ગયા છે કારણ કે સ્વર્ગમાં બધી છોકરીઓને દુનિયાની સૌથી ખૂબસુરત છોકરી અને બધા પુરુષને સૌથી હસીન નૌજવાન જણાવી શકે અને આખરે બધાને કહે લવ યૂ લવ યૂ. યૂસુફ સાહેબ  મારું નવું જીવન તમારા કારણે છે. આજે હું ખરેખર અનાથ થઇ ગયો છું. જીવન હવે પહેલા જેવું નહીં રહે. હું તમને ખૂબ જ યાદ કરીશ. મારી ઉર્દૂ હંમેશા તૂટી જશે. અને હા- લવ યુ, લવ યુ, લવ યુ!’

યુસુફની દીકરી સફીના હુસૈનના લગ્ન હંસલ મહેતા સાથે થયા હતા. યુસુફે તેમની અભિનય કારકિર્દીમાં વિવાહ, ધૂમ 2, દિલ ચાહતા હૈ, રોડ ટુ સંગમ, ક્રેઝી કુક્કડ ફેમિલી, બ્લુ ઓર્ગન્સ, ખોયા ખોયા ચાંદ, ધૂમ 2, રેડ સ્વસ્તિક અને એસ્કેપ ફ્રોમ તાલિબાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Shah Jina