સુનીલ ગાવસ્કરના અપમાન પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માગી માફી- જાણો શું છે આખો મામલો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે બોર્ડર-ગાવસ્કર સીરીઝ ખત્મ થઇ ગઇ છે, જેમાં કાંગારૂ ટીમ 3-1થી વિજેતા બની હતી. સિરીઝ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતના જશ્નમાં એટલી મગ્ન થઈ ગઈ કે તેમણે મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું અપમાન કર્યું. વાસ્તવમાં, ગાવસ્કરને ભારત સામેની પાંચ મેચની શ્રેણી જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ એવોર્ડ સમારોહમાં માત્ર એલન બોર્ડરને આમંત્રણ આપ્યું હતું પરંતુ હવે વિવાદ વધ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માટે માફી માંગી છે. CA એ સ્વીકાર્યું કે ભારતીય દિગ્ગજ પોડિયમ ચૂકી જાય તે આદર્શ પરિસ્થિતિ નથી. સીએએ ક્રિકબઝને આપેલા નિવેદનમાં કહ્યું, ‘અમારું માનવું છે કે જો એલન બોર્ડર અને સુનીલ બંનેને એકસાથે સ્ટેજ પર આવવા માટે કહેવામાં આવ્યું હોત તો સારું હોત.’

જણાવી દઈએ કે ગાવસ્કરે રવિવારે કહ્યું હતું કે, ‘મને ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી આપવા માટે કહેવામાં આવ્યું ન હતું.’ એવું લાગે છે કે CAની યોજના ગાવસ્કર અથવા બોર્ડરને એવોર્ડ સમારોહમાં આમંત્રિત કરવાની હતી, જેમાં ગેસ્ટનું નામ શ્રેણીના વિજેતા પર નિર્ભર કરે છે. આ બાબતે વિસ્તૃત માહિતી આપતાં એક CA અધિકારીએ કહ્યું કે તેમની યોજના એવી હતી કે જો ભારત શ્રેણી જીતે તો સુનીલ પુરસ્કાર તેની ટીમને ટ્રોફી આપશે, જ્યારે કાંગારૂ ટીમ સિરીઝ જીતે તો એલન બોર્ડર આપશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત સૌપ્રથમ 1996-97 શ્રેણી દરમિયાન થઈ હતી જે ભારતમાં રમાઈ હતી.નામકરણ પછી બંને દેશો વચ્ચે ઘરેલુ અને વિદેશી મેદાનો પર 17 સીરીઝ રમાઈ છે. એકંદરે બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 29 સીરીઝ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર અત્યાર સુધીમાં 13-11ની સરસાઈ મેળવી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી ઓસ્ટ્રેલિયામાં 1947-48માં રમાઈ હતી.

Previous Article

ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે વાયરલ થયો ચહલનો જૂનો વીડિયો, વીડિયો જોઈ તૂટ્યા લાખો ફેન્સના દિલ

Next Article

શું આ છોકરીને કારણે થઇ રહ્યા છે યુઝી ચહલ-ધનશ્રીના છૂટાછેડા ? મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ક્રિકેટર

error: Protected Content!