અમદાવાદમાં યુવકે 5 મી પત્નીને લીધે કરી લીધો આપઘાત, પત્નીની કાળી કરતૂત જાણીને કહેશો જલ્દી જેલ ભેગી કરો આને

ઘોર કળુયુગ આવ્યો છે…એમાં કેમ મહિલાઓ પર વિશ્વાસ કરવો? પત્નીની કાળી કરતૂત જાણીને કહેશો જલ્દી જેલ ભેગી કરો ફટાફટ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, કોઈ આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરે છે તો કોઈ પ્રેમ પ્રસંગોમાં, તો કોઈ લગ્ન જીવનમાં થતા કજિયા કંકાસના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે લૂંટેરી દુલ્હનના કારણે આપઘાત કરી લીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બારેજામાં રહેતા હિતેશ સોલંકી નામના યુવકના અગાઉ 4 વાર લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણોસર આ ચારેય લગ્ન નિષ્ફળ ગયા હતા, જેના બાદ તેણે મુંબઈના નાલાસોપારાની યુવતી સાથે પાંચમું લગ્ન કર્યું હતું, પરંતુ લગ્નના થોડા જ દિવસો બાદ હિતેશની આ પાંચમી પત્ની સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયા રોકડ લઈને તેની માતા સાથે રફુચક્કર થઇ ગઈ હતી.

આ વાતના કારણે આઘાતમાં આવેલા હિતેશે સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેના બાદ પોલીસે આ ઘટનામાં મૃતક હિતેશની માતાની ફરિયાદના આધારે પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. મૃતક હિતેશે સુસાઇડ નોટની અંદર આરોપીઓના નામ અને ફોન નંબર પણ લખ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસને મળી આવેલી સુસાઇડ નોટમાં હિતેશે રાજુભાઈ, આશાબહેન, અશ્વિન વલસાડ, મુકેશભાઈ, સૂફિયાન, રાણીની બેન, રાણીની માતા અને રાણીનું નામ લખેલું હતું. આ સુસાઇડ નોટમાં તેને એમ પણ જણવ્યું હતું કે આ લોકોએ લગ્ન કરાવ્યા બાદ મારી સાથે નાતજાતનો ભેદભાવ રાખીને દોઢ લાખ રૂપિયા અને દાગીના પડાવી લીધા છે. હું છોકરીને રાખવા તૈયાર છું પણ તેઓ મોકલવા તૈયાર નથી અને મેં દાગીના તથા રોકડા આપ્યા છે એ સ્વીકારવા પણ તૈયાર નથી, જેથી હું આ પગલું ભરી રહ્યો છું. મારે ઘણું જીવવું હતું પણ આ બાબતને લઈ લાગી આવતાં હવે જીવવું નથી, જેથી મેં આ પગલું ભર્યું છે.

આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી લગ્નના 10 માં દિવસે જવેલરી અને કિંમતી ચીજવસ્તુઓ લઈને માતા સાથે ભાગી થઈ ગઈ. જેના આઘાતમા હિતેષ સોલંકીએ અંતિમ ચીઠ્ઠી લખીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પોલીસે દુષ્પેરણા અને છેતરપિંડીનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી. મૃતક હિતેષ સોંલકીના અગાઉ ચાર લગ્ન થયા હતા. પરંતુ ચારેયમાં નિષ્ફળ રહયો હતો. 27 વર્ષનો હિતેષ પોતાનુ લગ્ન જીવન સુખીથી જીવવા માંગતો હતો.

અમદાવાદમાં મૃતક હિતેષ અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે કે મેરેજ કર્યા એના ફક્ત 10 જ દિવસ પછી દુલ્હન રાણી ફોન કરીને પરત બોલવાનું કહેતા તેણે નાત જાતનો ભેદ કરી પરત ન આવવાનું કહ્યું..જે બાદ મૃતક હિતેષ મનમાં લાગી આવતા દુનિયાને અલવિદા કરી દીધું.જો કે લૂંટેરી દુલ્હને અનેક લગ્નઇચ્છુક યુવાનોની જીદંગી બરબાદ કરી દીધી છે.. ત્યારે વધુ એક યુવાને તો પોતાની જીદંગીનો અંત લાવી દીધો છે..

YC