...
   

ક્વોલિફાયર રમ્યા વગર જ સીધું કેવી રીતે ફાઇનલમાં પહોંચી શકે છે KKR, IPLનું આ સમીકરણ સમજી લો..

જો KKR અને SRHની મેચમાં પડ્યો વરસાદ અને મેચ થઇ રદ્દ તો કઈ ટીમને થશે ફાયદો ?  જાણો શું કહે છે IPLનું ગણિત

KKR vs SRH Qualifier 1 : આઈપીએલ 2024 અંતિમ તબક્કે પહોંચી ગયું છે. 21 મેથી પ્લેઓફ મેચો શરૂ થવા જઈ રહી છે. પ્લેઓફની શરૂઆત ક્વોલિફાયર-1 મેચથી થશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો અમદાવાદમાં સામસામે ટકરાશે. પરંતુ IPLની છેલ્લી કેટલીક મેચોમાં વરસાદને કારણે રદ્દ થતી જોવા મળી છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો પ્લેઓફ મેચ દરમિયાન વરસાદ પડે અને મેચ ન થાય તો શું થશે?

વરસાદના કારણે આ સિઝનમાં અત્યાર સુધી 3 મેચ રદ્દ કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ 16 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. લીગ તબક્કાની છેલ્લી મેચ પણ વરસાદના કારણે રમાઈ શકી ન હતી.

આવી સ્થિતિમાં, જો પ્લેઓફ મેચ દરમિયાન વરસાદ પડે છે, તો ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચો કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે અથવા સુપર ઓવર દ્વારા પરિણામ પણ નક્કી કરી શકાય છે. પરંતુ જો મેચમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો પોઇન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.

જો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનાર મેચ રદ્દ થશે તો કોલકાતા નાઈટ રાઈડર્સને તેનો ફાયદો થશે. વાસ્તવમાં કોલકાતા નાઈટ રાઈડર્સ લીગ સ્ટેજમાં ટોપ પર છે. આવી સ્થિતિમાં જો ક્વોલિફાયર-1 મેચ રદ્દ થશે તો તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જેના કારણે જો મેચ રદ થાય છે, તો તેને હારનો સામનો કરવો પડશે અને તે પછી તે ક્વોલિફાયર-2 મેચ રમશે.

Niraj Patel