છી.. છી.. છી..આટલી ગંધાતી ટ્રેન! ભારતની આ ટ્રેનમાં ગંદકીનું સામ્રાજ્ય, શખ્સે કર્યો વીડીયો વાયરલ, જોઈને તમને પણ ઊલટી આવી જશે

ભારતીય રેલ્વેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે. ભારતનું રેલવે નેટવર્ક દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. દર વર્ષે કરોડો લોકો ભારતીય રેલવેમાં પ્રવાસ કરે છે. રેલ્વે દ્વારા મુસાફરી કરવી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે ખાસ કરીને લોન્ગ રૂટ માટે તે પસંદ કરવામાં આવે છે. તેથી મોટાભાગના લોકોની પહેલી પસંદગી ટ્રેન હોય છે. લાખો લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે અમે તમને આ બધુ કેમ જણાવી રહ્યા છે. તો જણાવી દઈએ કે સોશિયલ મીડીયા પર રોજબરોજ અવનવા અજીબો-ગરીબ વીડીયો આપણે જોતાં હોઈએ છીએ પણ હાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ લોકોને દેશની સૌથી ગંદી ટ્રેનનો નજારો બતાવ્યો. જે ખૂબ શરમજનક બાબત કહી શકાય જી. હા..

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ લોકોને દેશની સૌથી ગંદી ટ્રેનનો નજારો બતાવ્યો. આસામના ડિબ્રુગઢથી કન્યાકુમારી સુધી દોડતી વિવેક એક્સપ્રેસની અંદરનો નજારો જોયા પછી લોકો ઉલટીઓ રોકી શક્યા નહીં. આ ત્રણ દિવસની મુસાફરીમાં લોકોને નર્ક જેવો અહેસાસ થયો. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનના ડબ્બાઓ ગંદા, ખરાબ હાલતમાં શૌચાલય અને કચરાના ઢગલા પણ જ્યાં ત્યાં જોવા મળ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે શૌચાલયમાં પાણીની અછત, ગંદા ફ્લોર અને અસહ્ય દુર્ગંધ પણ આવી રહી છે જેના કારણે મુસાફરો હેરાન પણ થતાં જોવા મળે છે. ઘણા મુસાફરોએ ફરિયાદ કરી હતી કે પેન્ટ્રી કારમાં પીરસવામાં આવતું ભોજન પણ ખાઈ શકાય તેવું ન હતું,

એક મુસાફરે ટ્રેનમાં મુસાફરીની સચ્ચાઈ કહેતા કહ્યું, “મેં 2AC કોચમાં સીટ બુક કરાવી હતી, વિચાર્યું હતું કે ઓછામાં ઓછું તે સ્વચ્છ રહેશે. પરંતુ ડબ્બામાં ગંદકી, શૌચાલયની ગંધ અને કચરાના ઢગલા જોઈને મને આઘાત લાગ્યો. 75 કલાકની મુસાફરીમાં ઊંઘ અને ખોરાક બંને મુશ્કેલ બની ગયા.” આ અનુભવ ફક્ત આ મુસાફરનો જ નથી, પરંતુ બીજા મુસાફરોએ પણ સોશિયલ મીડિયા પર આવી જ ફરિયાદો નોંધાવી છે.

વિવેક એક્સપ્રેસ (ટ્રેન નંબર 22503/22504) નવ રાજ્યો – આસામ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાંથી પસાર થાય છે. આ યાત્રા 74 કલાક 20 મિનિટથી 75 કલાક 35 મિનિટ સુધી ચાલે છે, જેમાં 57 સ્ટોપનો સમાવેશ થાય છે. આ લાંબી યાત્રામાં મુસાફરોને દેશની વિવિધ સંસ્કૃતિ અને સુંદર સ્થળોનો નજારો જોવા મળે છે. પરંતુ હાલના અહેવાલો અને વાયરલ વીડિયોએ તેનાથી વિપરીત ચિત્ર રજૂ કર્યું છે.2011 માં સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન અંતર અને સમયની દ્રષ્ટિએ ભારતની સૌથી લાંબી ટ્રેન જ નથી, પરંતુ તે વિશ્વની 28મી સૌથી લાંબી રેલ મુસાફરી પણ છે. પરંતુ તેની ખરાબ સ્થિતિએ રેલવેના કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઉભા કર્યા છે. મુસાફરો કહે છે કે આટલી લાંબી મુસાફરી માટે ટ્રેનમાં વધુ સારી સુવિધાઓ અને નિયમિત સફાઈ વ્યવસ્થા હોવી જોઈએ.

Raina
error: Unable To Copy Protected Content!