જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે કેતુ પોતાની રાશિ બદલે છે, ત્યારે તે બધી રાશિઓને અસર કરે છે, પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક. હાલમાં કેતુ સિંહ રાશિમાં સ્થિત છે અને જૂનમાં મંગળ પણ આ રાશિમાં ગોચર કરશે. આનાથી મંગળ અને કેતુની યુતિ બનશે, જેની ઘણી રાશિઓ પર નકારાત્મક અસર પડશે. 7 જૂને મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે, જ્યાં કેતુ પહેલાથી જ છે. આનાથી મંગળ અને કેતુની યુતિ થશે, જેને કુજકેતુ યોગ કહેવામાં આવે છે અને તે ખૂબ જ અશુભ છે. તેની પ્રતિકૂળ અસર ત્રણ રાશિઓ – મેષ, કન્યા અને વૃશ્ચિક પર પડશે.
મેષ: આ રાશિના લોકોએ જૂન મહિનામાં સાવધાની રાખવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, ઘાયલ થવાની શક્યતા છે. દુશ્મનો તમને પરેશાન કરી શકે છે અને કાર્યસ્થળ પર વધારાનો બોજ માનસિક તણાવ પેદા કરી શકે છે. ઓફિસ રાજકારણથી દૂર રહો.
કન્યા: આ રાશિના લોકો કુજકેતુથી પ્રભાવિત થશે. સ્વભાવમાં આક્રમકતા હોઈ શકે છે અને મન ચીડિયા થઈ શકે છે. તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો, નહીં તો સંબંધો બગડી શકે છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો અને કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે.
વૃશ્ચિક: આ રાશિના લોકો પણ કુજકેતુથી પ્રભાવિત થશે. વધુ પડતા ખર્ચને કારણે નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. વિદ્યાર્થીઓ અભ્યાસથી વિચલિત થઈ શકે છે અને કૌટુંબિક મતભેદ થઈ શકે છે.
ઉપાય: કુજકેતુના દુષ્પ્રભાવથી બચવા માટે, શનિવારે ઉપવાસ કરો, પીપળાના ઝાડ નીચે પાણી ચઢાવો અને દીવો પ્રગટાવો. તેમજ કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિને દાન કરો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)