દુઃખદ સમાચાર: દિગ્ગજ ગુજરાતી કૉમેડિયનનું નિધન, વડોદરા સ્થિત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

મિત્રો આજે ફરી એકવાર ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. બૉલિવૂડના પીઢ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)બાદ વધુ એક કોમેડિયને દુનિયાને અલવિદા કહી દીધું છે. `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારા(Parag Kansara)નું નિધન થયું છે. તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ(Sunil Pal)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. પરાગ કંસારાએ રાજુ શ્રીવાસ્તવ સાથે પણ કામ કર્યું હતું. તેમના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. જાણીતા કોમેડિયન શુનિલ પાલે પણ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમના દોસ્ત અને જાણીતા કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે.ફેમસ કોમેડિયન સુનીલ પાલે કોમેડિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભાવુક દેખાઈ રહ્યા છે, તેમણે કહ્યું કે, `હેલો દોસ્તો, કોમેડીના ક્ષેત્રમાંથી ફરી એકવાર ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે, અમારા લાફ્ટર ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા જી હવે આ દુનિયામાં નથી. દરેક વસ્તુની વિરુદ્ધ વિચાર કરો એમ કહીને તે અમને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોને કોમેડીની દુનિયાની નજર લાગી ગઈ છે. આપણે થોડા દિવસ પહેલા જ રાજુભાઈ શ્રીવાસ્તવને ગુમાવ્યા છે. હવે આપણે એક પછી એક કોમેડીનો સ્તંભ ગુમાવી રહ્યા છીએ.` સુનીલ પાલે આ વીડિયોમાં દિપેશ ભાનને પણ યાદ કર્યા હતા.

તેઓ દરેક વાતને ઊંધું વિચારો કહીને લોકોને ખુબ જ હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી રહ્યા. ખબર નહીં કોમડીની દુનિયાને કોની નજર લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક પછી એક કોમેડી લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આપણે એક પછી એક કોમેડી પિલ્લરને ઘુમાવી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ ઘણા ટાઇમથી ટીવી અને કોમેડી શોથી દૂર હતાા. તેઓ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સ્પર્ધક તરીકે દેખાતા હતા. આ શો ભારતીય ટેલીવિજનનો પહેલો એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટો મંચ આપવાનુ કામ કર્યુ હતુ.

આ શો નવા-નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શો દ્વારા ઘર-ઘરમાં ઓળખ મળી હતી. વડોદરાના ખુબ જ ફેમસ દિગ્ગજ હાસ્ય કલાકાર પરાગ કંસારાએ કોમેડીક્ષેત્રના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવ સહિતના દિગ્ગજો સાથે કામ કર્યું હતું અને તેમણે મિમિક્રી આર્ટિસ્ટ તરીકે ખૂબ નામના મેળવી હતી.

તેઓ ગ્રેડ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી જાણીતા બન્યા હતા. તેમણે નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુનીલ પાલ અને ભંગવત માન સાથે કામ કર્યું હતું. તેઓ `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક હતા. જો કે, તે વિજેતા ન બની શક્યા, પરંતુ તેની કોમેડી દર્શકોને ખૂબ પસંદ આવી. આ શો સિવાય તે અન્ય કોમેડી શો માં પણ જોવા મળ્યા હતાં. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોઈ કોમેડી શોમાં જોવા મળ્યો નહોતા.

YC