આને કહેવાય સાચો પ્રેમ ! પત્નીનો જીવ બચાવવા માટે પતિએ MBBSની ડિગ્રી રાખી ગીરવે અને લીધી 70 લાખની લોન

પત્નીનો મોતના મોંમાથી ખેંચી લાવ્યો ડોક્ટર પતિ : સારવારના 1.25 કરોડ માટે MBBSની ડિગ્રી રાખી ગીરવે, બોલ્યો- સાત જન્મનો વાયદો કર્યો છે, મરવા કેવી રીતે દેતો

દરેક જીભ માટે પ્રેમનો સ્વાદ અલગ અલગ હોય છે. આ વિષય પર કોઈ સર્વસંમતિ નથી. કોઈ પ્રેમમાં બધું લૂંટી લેવાની વાત કરે છે તો કોઈ કહે છે કે તેને પ્રેમ કરીને જીવનનો સૌથી અમૂલ્ય ખજાનો મળ્યો છે. જેમના માટે પ્રેમ જીવનની સૌથી અદ્ભુત ભેટ છે, તેઓ તેમના જીવનસાથી માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા હોય છે, ત્યારે હાલ આવું જ પ્રેમનું એક ઉદાહરણ સામે આવ્યુ છે,

જેમાં એક પતિએ તેની પત્નીનો જીવ બચાવવા માટે જે કર્યુ તે સાંભળી તમારી આંખમાં આંસુ આવી જશે. આ કહાની છે ડૉ.સુરેશ ચૌધરી અને તેમની પત્નીની. આ બંનેની લવ સ્ટોરી જાણ્યા પછી તમારો પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થઇ જશે. ડોક્ટર સુરેશ પોતાની પત્નીને પ્રેમના કારણે મોતના મુખમાંથી પરત લાવ્યો હતો.

તેણે તેની પત્નીને બચાવવા માટે તેની સંપત્તિ અને તેની નોકરી સુધી બધુ જ દાવ પર લગાવી દીધુ. ડોક્ટર સુરેશે પત્નીની સારવાર માટે રૂ. 1.25 કરોડ જમા કરાવવા માટે MBBSની ડિગ્રી 70 લાખમાં ગીરવે રાખી હતી. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, 32 વર્ષીય ડૉક્ટર સુરેશ ચૌધરી રાજસ્થાનના પાલીના ખૈરવા ગામના રહેવાસી છે અને હાલમાં તે પીએચસીમાં પોસ્ટેડ છે. તેમની પત્ની તેમના 5 વર્ષના બાળક સાથે ગામમાં રહે છે.

બંનેની જીંદગી ખૂબ જ આરામથી ચાલી રહી હતી, પરંતુ મે 2021માં કંઈક એવું બન્યું કે તેમના જીવનની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું. જ્યારે કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી, ત્યારે ડોક્ટરની પત્ની અનિતા ચૌધરી તાવની ચપેટમાં આવી ગઈ હતી. 13 મેના રોજ અનિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારપછી તેની તબિયત દર મિનિટે બગડવા લાગી અને અંતે 14 મેના રોજ અનિતાને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવી. ડોક્ટર સુરેશ પણ તે સમયે ફરજ બજાવતા હતા. તે તેની પત્ની સાથે માત્ર બે દિવસ જ રહી શક્યા.

આ પછી, તેના સંબંધીને તેની પત્ની સાથે છોડીને તે ફરજ પર પાછા ફર્યા. આ પછી 30 મેના રોજ જ્યારે તેઓ ફરી પત્નીને મળવા જોધપુર એઈમ્સ પહોંચ્યા તો તેમણે જોયું કે તેમની તબિયત બગડી ગઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું કે અનિતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમના ફેફસા 95 ટકા સુધી ખરાબ છે અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવી રહ્યા છે.

ડૉક્ટરોએ કહ્યું હતું કે અનિતા માટે બચવું ખૂબ મુશ્કેલ છે. આમ છતાં સુરેશે હાર ન માની. તેઓ પત્ની સાથે અમદાવાદ ગયા. 1 જૂનના રોજ સુરેશે અનિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કોરોનાને કારણે અનિતાનું વજન પણ ઘટી ગયું હતું. તેના શરીરમાં લોહીની પણ ઉણપ હતી. આ પછી ડૉક્ટરો ECMO મશીનમાં શિફ્ટ થયા. આ મશીન દ્વારા હૃદય અને ફેફસાંનું ઓપરેશન કરવામાં આવ્યુ.

સુરેશે જણાવ્યું કે આ મશીનની કિંમત એક દિવસમાં એક લાખ રૂપિયાથી વધુ છે. સારવારને કારણે દેવુ પણ વધી ગયુ, પરંતુ તેણે વિચાર્યું કે કોઈ પણ સંજોગોમાં તે તેની પત્નીને બચાવશે. અનિતા લગભગ 87 દિવસ હોસ્પિટલમાં રહી. ત્યારપછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને તેનો જીવ બચી ગયો.

સુરેશ કહે છે કે તેને સારવાર માટે પૈસા એકઠા કરવા હતા, તેથી તેણે પોતાની MBBS ડિગ્રી ગીરવે મૂકીને બેંકમાંથી 70 લાખ રૂપિયાની લોન લીધી. પોતાની બચત માત્ર 10 લાખ રૂપિયા હતી. આ સિવાય મિત્રો અને સાથી ડોક્ટરો પાસેથી 20 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. તેણે પોતાનો એક પ્લોટ 15 લાખ રૂપિયામાં વેચી દીધો. અન્ય સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા. સુરેશે બેંકો સાથે જોડાણ કર્યું છે, જો સમયસર નવી લોનની ચુકવણી મળે નહિ તો બેંકો તેની MBBS ડિગ્રી રદ કરાવી શકે છે.

પરંતુ તેને આ વાતનો અફસોસ પણ ન હતો, તે ખુશ હતો કે તે તેની પત્નીને બચાવી શક્યો. સુરેશ કહે છે કે તેણે તેની પત્નીને સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું છે. તે તેને કેવી રીતે મરવા દે. સુરેશ કહે છે કે તે ફરીથી પૈસા કમાઈ લેશે, પરંતુ જો તેની પત્નીને કંઈક થઈ જશે, તો તે પણ બચી શકશે નહીં.

Shah Jina