કોલકાતામાં સિંગર કેકેના કોન્સર્ટ પછી તરત જ ઢળી પડ્યા, દર્દનાક મૃત્યુ થતા જ ફેન્સ રાડો પાડવા લાગ્યા

ભારતીય સંગીતનો એક ચમકતો સિતારો હંમેશ માટે ઓલવાઈ ગયો છે. કેકેના નામથી ઓળખાતા બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણ કુમાર કુન્નાથ હવે આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે 53 વર્ષની વયે કેકેએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. કેકેના નિધનથી બોલિવૂડ સહિત સિંગરના તમામ ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. કે.કે.ને પણ શું ખબર હતી કે લાઇવ કોન્સર્ટમાં તેઓ માત્ર થોડી જ ક્ષણોના મહેમાન છે. નિધન પહેલા કેકે કોલકાતાના નઝરુલ મંચમાં એક કોન્સર્ટમાં ગીત ગાતા હતા. પરંતુ કોન્સર્ટ પછી તેમની તબિયત અચાનક બગડી.

કેકેની તબિયત લથડતી જોઈને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આટલા મોટા ગાયકના આકસ્મિક નિધનના સમાચારે ચાહકોને ખૂબ જ હચમચાવી દીધા છે. ઘણા લોકો જાણવા માંગે છે કે કોન્સર્ટમાં પોતાના અવાજથી લોકોને દિવાના બનાવ્યા પછી તેમની સાથે એવું શું થયું કે તેઓ કાયમ માટે દૂર થઈ ગયા. કેકેના મૃત્યુ અંગે અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. કેકેનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેકે કોલકાતામાં એક કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારબાદ સ્ટ્રોકના કારણે તેમની તબિયત બગડી અને તેમનું અવસાન થયું. પરંતુ હવે કેકેના મોતના મામલામાં નવી માહિતી સામે આવી રહી છે. લેટેસ્ટ અપડેટ મુજબ કેકેના માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કેકેનું પોસ્ટમોર્ટમ આજે કોલકાતાની હોસ્પિટલમાં કરવામાં આવશે. કેકે બે દિવસના કોન્સર્ટ માટે કોલકાતા આવ્યા હતા. સોમવારે તેમણે કોન્સર્ટ પણ કર્યો હતો.

તેમણે તે કાર્યક્રમ વિવેકાનંદ કોલેજમાં કર્યો હતો. પરંતુ કોન્સર્ટના બીજા દિવસે તેમની તબિયત બગડી અને જોતજોતામાં જ તે બધાને છોડીને હંમેશ માટે ચાલ્યા ગયા. સિંગર કેકેના છેલ્લા પરફોર્મન્સની ઘણી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. કોન્સર્ટ દરમિયાન કેકેએ હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેંગે યે પલ’ જેવા ગીતો પણ ગાયા હતા. જેમાં તેના છેલ્લા કોન્સર્ટના વીડિયો સૌથી વધુ જોવામાં આવી રહ્યો છે. કેકેના નિધનથી બોલિવૂડમાં ભારે શોક છવાઈ ગયો છે.

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારથી લઈને ટેલિવિઝન સ્ટાર્સે કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કેકેએ હિન્દીની સાથે સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી સહિત અનેક ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે ફિલ્મ કાઈટ્સમાં ‘ઝિંદગી દો પલ કી’, ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં ‘આંખો મેં તેરી’, ફિલ્મ બચના એ હસીનોમાં ‘ખુદા જાને’ જેવા ગીતોથી એક અલગ ઓળખ બનાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યુ, “પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાન વિશે સાંભળીને દુઃખ થયું. તેમના ગીતોમાં અભિવ્યક્તિની વિશાળ શ્રેણી છે. અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

Shah Jina