મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોક ! ફેમસ સિંગરનું થયુ નિધન, ‘જિંદગી ઇમ્તિહાન લેતી હૈ…’થી કમાવ્યુ હતુ નામ

‘જિંદગી ઇમ્તિહાન લેતી હૈ…’ના સિંગરનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ- કોમેન્ટમાં જાણો સમગ્ર અહેવાલ

હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક કમલેશ અવસ્થીનું નિધન થયું હોવાની ખબર સામે આવી રહી છે. સિંગરે 79 વર્ષની વયે તેમના અમદાવાદના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી સંગીત જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું હોવાનું કહેવાઇ રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ છેલ્લા એક મહિનાથી કોમામાં હતા અને 28 માર્ચે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમને વોઇસ ઓફ મુકેશ પણ કહેવામાં આવતા હતા. તેમનો જન્મ 1945માં ગુજરાતના સાવરકુંડલામાં થયો હતો. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc કર્યું અને પછી Ph.D. કરી હતી. આ સાથે ભાવનગર સપ્તકલામાં કલા ગુરુ ભરભાઈ પંડ્યા પાસે તેઓ સંગીત શીખ્યા.

તેમનું પ્રથમ સંગીત આલ્બમ મુકેશ કુમારના નામે હતું. તેમનું આલ્બમ ‘ટ્રિબ્યુટ ટુ મુકેશ’ હતું, જે પછી તેઓ વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે હિન્દી ફિલ્મોના ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેમના પ્રખ્યાત ગીતોમાં ‘ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ’, ‘તેરા સાથ હૈ તો’, ‘બડે અરમાનો સે રખા’, ‘દિલ દિવાના તેરા’, ‘દુનિયા બનાને વાલે’, ‘ચીન નહીં જાપાન નહીં’ અને ‘દુનિયાવાલો સે દૂર’નો સમાવેશ થાય છે.

કમલેશ અવસ્થીએ રાજ કપૂર સાથે પણ કામ કર્યું હતું. તેમણે રાજ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ’માં પોતાનો અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં તેમણે એક બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ગાયું હતું. ફિલ્મોની સાથે તેઓ સ્ટેજ પર્ફોર્મન્સ માટે પણ પ્રખ્યાત હતા.

Shah Jina
error: Unable To Copy Protected Content!