વર્ષોથી નથી થઇ રહી સંતાન પ્રાપ્તિ તો પ્રેમાનંદ મહારાજે જણાવ્યુ શું કરાય…વિરાટ-અનુષ્કા સહિત મોટી હસ્તી પણ લઇ ચૂકી છે આશીર્વાદ…

સોશિયલ મીડિયા પર હાલમાં એક દાઢીવાળા મહારાજના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યાં છે. આ મહારાજ બીજું કોઇ નહિ પણ પ્રેમાનંદ મહારાજ છે. જેમને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિત ઘણી મોટી હસ્તીઓ મળવા જતી હોય છે. પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. ત્યારે હાલમાં તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ સંતાન વિહોણા લોકો માટે સંતાન પ્રાપ્તી માટે શું કરવું તે જણાવી રહ્યા છે. બધા દંપતિ ઇચ્છતા હોય છે કે તેમને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય.

પણ કેટલાક દંપતિ એવા હોય છે જેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળતુ નથી, અથવા તો ઘણા વર્ષો લાગી જાય છે. તો ચાલો જાણીએ કે પ્રેમાનંદ મહારાજે નિસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્ત ન થવા પર જીવનને કઇ વસ્તુને લક્ષ્ય બનાવી આગળ ચાલવાની સલાહ આપી છે. પોતાના વિચારોથી ચર્ચામાં રહેનારા પ્રેમાનંદ મહારાજને જ્યારે એક વ્યક્તિએ પૂછ્યુ કે 10 વર્ષોથી તેમને કોઇ સંતાન નથી.

મેડિકલ સાયન્સની પણ મદદ લીધી પરંતુ કોઇ પરિણામ હાથ ન લાગ્યુ.આવી સ્થિતિમાં મન ક્યારેક વિચલિત થઈ જાય છે, આ પરિસ્થિતિમાં શું કરવું. ત્યારે સ્વામી પ્રેમાનંદ મહારાજ નમ્ર ભાવે જણાવે છે કે માનવ દેહ ભજન યોગમાં વ્યસ્ત રહેવો જોઈએ. પારિવારિક જીવનમાં માત્ર છોકરો જ હોવો જરૂરી નથી. એમ ન વિચારો કે તેમના વિના જીવન અર્થહીન છે. છોકરો હોય કે છોકરી, લગ્ન જીવનમાં બાળક હોવું એ બધું જ છે.

પ્રેમાનંદ મહારાજે કહ્યું કે કેટલાક લોકો સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ નથી. આવી સ્થિતિમાં દુઃખી થવાની જરૂર નથી. જો વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય છે, તો પણ તેણે સેવાની ભાવનામાં વ્યસ્ત રહેવું પડશે. તેથી તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો. જો કે આપણું મન ઘણું કહે છે, પરંતુ તેના પર નિયંત્રણ રાખો અને તમારું જીવન સેવા અને ભજન યોગમાં સમર્પિત કરો. દિવસભર કામ કરો અને સાંજે ગાયની સેવા, જરૂરિયાતમંદોની સેવા વગેરેમાં તમારી ભક્તિ કરો. આમ કરવાથી તમે આપોઆપ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરશો અને તમારા મનને શાંતિ મળશે.

Shah Jina