અરે આ તો જબરૂ થઇ ગયુ ! કુળદેવતા માની વર્ષોથી જેની કરી રહ્યા હતા લોકો જેની પૂજા એ તો નીકળ્યુ ડાયનાસોરનું ઇંડુ

મધ્યપ્રદેશમાં ગામવાળા જેને ‘કુળદેવતા’ સમજી કરી રહ્યા હતા પૂજા તે નીકળ્યુ ડાયનાસોરનું ઇંડુ, તપાસમાં સામે આવ્યો હેરાન કરી દેનારો મામલો

Dinosaur Egg Found in MP: કહેવાય છે કે શ્રદ્ધા તર્ક અને વિજ્ઞાન પણ સ્વીકારતી નથી. એમપીના ધારમાં પણ કંઈક આવું જ બન્યું છે. અત્યાર સુધી જેને પથ્થરનો ગોળો માનવામાં આવતો હતો, તેને નિષ્ણાતોના ગ્રુપે ડાયનાસોરના ઈંડાના અવશેષો તરીકે વર્ણવ્યા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, પડલ્યા ગામના વેસ્તા મંડલોઈ (40) પૂર્વજોની પરંપરાને અનુસરીને આ ગોળાને ‘કાકર ભૈરવ’ તરીકે પૂજતા હતા.

કુળદેવતા માની વર્ષોથી કરી રહ્યા હતા પૂજા

તેઓ માનતા હતા કે કુળદેવતા તેમના ખેતરો અને પશુઓને મુશ્કેલીઓ અને દુર્ભાગ્યથી બચાવશે. ‘કાકર’ એટલે જમીન અથવા ખેતર અને ‘ભૈરવ’ ભગવાનને દર્શાવે છે. મંડલોઈની જેમ અન્ય ઘણા લોકો ધાર અને આસપાસના જિલ્લાઓમાં ખોદકામ દરમિયાન મળેલા આવા ગોળાની પૂજા કરે છે. જો કે, જ્યારે લખનઉની બીરબલ સાહની ઈન્સ્ટિટ્યૂટ ઑફ પોલિયોસાઇંસેજના નિષ્ણાતોએ તાજેતરમાં આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમને પથ્થરના ગોળાઓ વિશે જાણ થઈ.

એ તો નીકળ્યુ ડાયનાસોરનું ઇંડુ

તેમણે શોધી કાઢ્યું કે સ્થાનિક રહેવાસીઓ જે પથ્થરની પૂજા કરતા તે તો ડાયનાસોરની ટાઇટેનોસોરસ પ્રજાતિના જીવાશ્મ ઈંડા છે. એવું કહેવાય છે કે લગભગ સાડા છ કરોડ વર્ષો પહેલા અહીં ડાયનાસોરનો વિસ્તાર હતો, જેમાંથી સેંકડો ઇંડા છેલ્લા ઘણા વર્ષોમાં વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે. આ પ્રથમ ભારતીય ડાયનાસોર છે જેનું નામ અને યોગ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

ટાઇટેનોસોર ગ્રહ પર ચાલનારા સૌથી મોટા ડાયનાસોર પૈકીના એક

આ પ્રજાતિ સૌ પ્રથમ 1877માં નોંધવામાં આવી હતી. તેના નામનો અર્થ ‘ટાઈટેનિક ગરોળી’ થાય છે. ટાઇટેનોસોર ગ્રહ પર ચાલનારા સૌથી મોટા ડાયનાસોર પૈકીના એક હતા. અંદાજ મુજબ, આ પ્રજાતિ લગભગ 70 મિલિયન વર્ષો પહેલા ક્રેટેશિયસ કાળ દરમિયાન પ્રદેશમાં ફરતી હતી. આ વર્ષની શરૂઆતમાં એક સમયે નર્મદા ખીણમાં ફરતી ટાઇટેનિક ગરોળીના 250થી વધુ ઇંડા મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મળી આવ્યા હતા.

જાન્યુઆરીમાં સહકર્મી-સમીક્ષિત વૈજ્ઞાનિક પત્રિકા PLOS વનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દિલ્હી યુનિવર્સિટી (DU) અને ભોપાલમાં ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા (IISER)ના સંશોધકોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિગતવાર ક્ષેત્ર સંશોધનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેઓએ 256 અશ્મિભૂત ટાઇટેનોસોર ઇંડા ધરાવતી 92 માળાની જગ્યાઓ શોધી કાઢી હતી.

Shah Jina