‘શાહરૂખ ખાનને જીવતો સળગાવી દઇશ…સિનેમાઘરમાં આગ લગાવી દઇશ ભગવા રંગનું અપમાન નહિ સહન કરુ’- મહંત પરમહંસ આચાર્ય

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ જોરોશોરો પર છે, જે ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. ઘણા રાજનેતા, સંતો અને લોકો આ ફિલ્મને લઈને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે, તાજેતરમાં જ NHRCમાં એક અરજી દાખલ કરીને ફિલ્મમાંથી બેશરમ રંગ ગીતને હટાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે હવે અયોધ્યાના સંત એ શાહરૂખ ખાન પર ‘પઠાણ’ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ કહ્યું કે જો તે ક્યારેય શાહરૂખ ખાનને મળશે તો તેને જીવતો સળગાવી દેશે. આ સાથે પરમહંસ આચાર્યએ કહ્યું કે ‘બેશરમ રંગ’ ગીતમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે.

અમારા સનાતન ધર્મના લોકો આ અંગે સતત વિરોધ કરી રહ્યા છે. આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવી દીધું છે. જો મને જેહાદી સંબંધિત ફિલ્મ મળશે તો હું તેને પણ જીવતી સળગાવી દઈશ. આચાર્ય આટલેથી જ ન અટક્યા, તેમણે કહ્યું કે, જો ફિલ્મ ‘પઠાણ’ સિનેમાહોલમાં રિલીઝ થશે તો તેઓ સિનેમા હોલને પણ આગ લગાવી દેશે. આચાર્યએ ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરવાનું પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અયોધ્યા સ્થિત હનુમાન ગઢીના પૂજારી મહંત રાજુ દાસે પણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જે દિવસે મને શાહરૂખ ખાન મળશે, હું તેની ચામડી ઉધેડી નાખીશ.

મારા માણસો મુંબઈમાં શોધી રહ્યા છે. જો કોઈ તેને અમારી પહેલા શોધી કાઢે અને કોઈ સનાતની શેર(સિંહ) તેને જીવતો સળગાવી દે તો હું તેના પરિવારને આર્થિક મદદ કરીશ. આટલું જ નહીં, મેં ત્રણ ખાનોને માર્ક કર્યા છે. પહેલા શાહરૂખ ખાન, પછી આમિર ખાન અને પછી સલમાન ખાન..મેં આ બધા માટે ફાંસીની સજા નક્કી કરી છે. સંત પરમહંસ બોલ્યા- હું તેને બાળતા પહેલા તેની ચામડીની છાલ ઉધેડીશ. જો તમે ભગવાને ધિક્કારતા હોવ તો તમારી ધમનીઓમાં લોહી કેમ વહી રહ્યું છે. તેનો રંગ પણ ભગવો છે, ભગવા વગર કોઈનું અસ્તિત્વ જ નથી. તે ભગવાન સૂર્યનો રંગ છે, અગ્નિનો રંગ છે,

ભગવો શાંતિનું પ્રતીક છે અને સનાતન ધર્મના તમામ અનુયાયીઓને ગર્વ છે. ભગવો એ સ્વાભિમાનનું પ્રતિક છે. ભગવાનું અપમાન સહન કરવામાં નહીં આવે. તેઓએ આગળ કહ્યુ કે, શાહરૂખ ખાનનો ધર્મ ઇસ્લામ છે, તેણે આજ સુધી ન તો તેના ધર્મ પર કોઈ વેબ સિરીઝ બનાવી છે કે ન તો કોઈ ફિલ્મ બનાવી છે. હું ચેલેન્જ કરુ છુ કે હલાલા પર બનાવી બતાવે, ત્રણ તલાક પર બતાવે, પૈગંબર મોહમ્મદની જીવની પણ બનાવી બતાવે. ખબર નહિ 5 મિનિટમાં કેટલા ટુકડા થશે કોઇ ગણી પણ નહિ શકે. ફક્ત તેઓ જ જાણે છે કે હિંદુ માનવતાવાદી છે,

તેથી તેમની મજાક ઉડાવો અને પૈસા કમાવો, એટલે આપણે બધા બધાનું સમ્માન કરીએ છીએ. સંત પરમહંસ કહે છે- જે કોઈ સનાતનની આસ્થાની મજાક ઉડાવે છે, અપમાન કરે છે તેની સામે બદલો લેવામાં આવશે. અમે પણ હવે આ જેહાદી રાક્ષસોને મારવાનું શરૂ કરીશું. તેની શરૂઆત આમિર ખાનથી લઈને શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી થશે. આ પહેલા હિન્દુ મહાસભાએ પણ દીપિકાની ભગવા બિકી સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાં આરટીઆઈ કાર્યકર્તા દાનિશ ખાને તેમને મુસ્લિમોનો ચિશ્તી રંગ કહ્યો.

Shah Jina