પ્રાણીઓની વાત કરીએ તો કપિરાજથી વધુ તોફાની કોઈ નથી. તમે કપિરાજોને લોકોનો સામાન છીનવતા અને ક્યારેક કોઈના ઘરમાં ઘૂસી જતા પણ જોયા હશે. કપિરાજની આ તોફાનીતા લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે. ભારતમાં ઘણી જગ્યાએ કપિરાજે સંપૂર્ણ આતંક મચાવ્યો છે. કપિરાજના ડરથી લોકો ઘરની બહાર નીકળતી વખતે પણ ડરી જાય છે. ખબર નહીં ક્યારે કપિરાજ ક્યાંથી બહાર આવે અને લેવાના દેવા પડી જાય.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કપિરાજે મથુરાના ડીએમ નવનીત સિંહ ચહલના ચશ્મા છીનવી લીધા હતા અને દોડીને સીધો જઈને સીડી પર બેસી ગયો. આ વીડિયો 21 ઓગસ્ટનો છે. મથુરાના ડીએમ નવનીત સિંહ ચહલ અને એસએસપી જન્માષ્ટમી પર નાસભાગની ઘટનાની તપાસ કરવા વૃંદાવન ગયા હતા.
આ દરમિયાન એક કપિરાજે ડીએમના ચશ્મા છીનવી લીધા હતા. કપિરાજ પાસેથી ચશ્મા છોડાવવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. કપિરાજને લલચાવવામાં આવ્યો પણ ચશ્મા પરત કર્યા નહીં. સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીની મહેનત બાદ કપિરાજે ડીએમના ચશ્મા પરત કર્યા.
#Mathura के बंदरों ने कमाल कर दिया। इस बार DM साहिब #NavneetChahal का चश्मा ले उड़े। बंदरों का आतंक यहाँ कोई नयी बात नहीं। अक्सर सामान ले उड़ते हैं फिर वापस नहीं मिलता। हालाँकि DM साहिब का चश्मा मिल गया है। pic.twitter.com/o96RPfOqtj
— Aman Dwivedi (@amandwivedi48) August 21, 2022
મથુરામાં કપિરાજ દ્વારા પસાર થનારનો સામાન છીનવી લેવો સામાન્ય બાબત છે. કેટલાક સ્થાનિક લોકો એવો પણ દાવો કરે છે કે આ કપિરાજને સ્થાનિક ગેંગ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવે છે જે લોકોનો સામાન છીનવી લેવાના બદલામાં તેમને ખવડાવે છે. બાંકે બિહારી મંદિરમાં નાસભાગની ઘટનાની તપાસ માટે ડીએમ નવનીત ચહલ ઘટનાસ્થળે ગયા હતા. શનિવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય સાત ઘાયલ થયા હતા. .