કોણ છે આ MBBSની વિદ્યાર્થીની, જે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ઈચ્છે છે ? બાગેશ્વર ધામ જતા પહેલા કહ્યું, “પ્રાણનાથ.. હું આવી રહી છું, “જાણો સમગ્ર મામલો

50 ડિગ્રી તાપમાનમાં પણ 1300 કિમિની પદયાત્રા કરીને બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે પહોંચી રહી છે તેમની આ ભક્ત, માની લીધા છે પોતાના પતિ, પણ હવે થયું એવું કે…જુઓ

MBBS girl Marry Dhirendra Krishna Shastri : ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ બાગેશ્વર ધામના બાબાનો દરબાર લાગ્યો હતો, જેનો લાભ લાખો શ્રદ્ધાળુઓએ લીધો અને બાબાના દર્શન પણ કર્યા. બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ એક યુવતી બાબા સાથે લગ્ન કરવા માટે બાગેશ્વર ધામ પગપાળા જ જઈ રહી છે.

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાનું સપનું સાકાર કરવા માટે MBBSની વિદ્યાર્થીની શિવરંજની તિવારી શનિવારે બાંદાથી બાગેશ્વર જવા રવાના થઈ ગઈ છે. તે 16 જૂને બાગેશ્વર ધામ પહોંચશે. પરંતુ જ્યારે શિવરંજનીને ખબર પડી કે બાબા 15 જૂન પછી એકાંતમાં જવાના છે, ત્યારે તે અસ્વસ્થ દેખાઈ.

શિવરંજનીએ કહ્યું કે હું તેની ભક્તિમાં અવરોધ બનવા માંગતી નથી. તેણીને આશા હતી કે તે બાબાને ચોક્કસ મળશે. કહ્યું કે બાબા બાગેશ્વર ધામમાં ક્યારેય કોઈ નિરાશ થઈને પાછું નથી આવ્યું. ત્યાં દરેકને સાંભળવામાં આવે છે. તેમણે કાવ્ય દ્વારા કહ્યું હતું કે ‘ધ્યાનમાં રાખીને તમારી પ્રતિમા, ઉતારુ મેં પ્રાણનાથ તેરી આરતી’.

આગળ શિવરંજનીએ કહ્યું કે અમે ગંગોત્રી ધામથી બાગેશ્વર ધામ આવી રહ્યા છીએ. આ લગભગ 1300 કિલોમીટરની પગપાળા યાત્રા છે. અમે લગભગ મુકામ પર પહોંચી ગયા છીએ. અમે બધાએ 50 ડિગ્રી તાપમાનમાં પદયાત્રા કરી છે. તેમણે વધુમાં કહ્યું કે મને મારી બાલાજી સરકારમાં 100% વિશ્વાસ છે કે જે પણ તેમના દરબારમાં આવે છે તે ક્યારેય નિરાશ થઈને જતા નથી.

જણાવી દઈએ કે 20 વર્ષની શિવરંજની આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. તે પોતાની ઈચ્છાનો કલશ લઈને બાગેશ્વર જઈ રહી છે. આ સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કહી રહી છે. બીજી તરફ બાબા બાગેશ્વર તેને દીકરી કહી રહ્યા છે. જ્યારે શિવરંજનીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આવા કોઈ નિવેદનથી વાકેફ નથી.

સાથે જ ‘ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન કરવાની નકરવાની છું કે લગ્નનો પ્રસ્તાવ લઈને જાઉં છું. હું કહું છું કે તે મારો પ્રાણનાથ છે, આમ જ રહેશે. હું તેમને ભગવાન માનું છું. તેથી જ હું તેમને પ્રાણનાથ કહું છું. હું 16 જૂને તેમના નિવાસસ્થાને પહોંચવાનો પ્રયત્ન કરું છું, પરંતુ ગરમી ખૂબ જ છે, તેથી એક-બે દિવસ આગળ-પાછળ થઇ શકે છે.”

Niraj Patel