બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી માધુરી દીક્ષિતે પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરમાં નમાવ્યું શીશ, ચાહકો જોવા માટે ઉમટી પડ્યા

બોલીવુડના સિતારાઓ અવાર નવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, ત્યારે ચાહકો પણ તેમને જોવા માટે મોટી એવી ભીડ પણ લાગતી હોય છે. ત્યારે ગત રોજ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ ગુજરાતની મુલાકાતે આવી પહોંચી હતી.

માધુરી દીક્ષિતે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. તેને પાવાગઢના ગબ્બર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન પણ કર્યા હતા, માધુરી ગુજરાત ટુરિઝમ દ્વારા ચાલી રહેલા “ખુશ્બુ ગુજરાત કી..” કેમપેઇનનું શૂટિંગ કરવા માટે પાવાગઢ પહોંચી હતી.

માધુરીએ પાવાગઢ જવાના રોપ વે તરફ શૂટિંગ કર્યું હતું, સાથે હસતા ચહેરે ચાહકોનું પણ અભિવાદન કર્યું હતું. માધુરી પાવાગઢમાં શૂટિંગ માટે આવી હોવાની જાણ થતા જ તેના ચાહકો પાવાગઢ તરફ ઉમટી પડ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પાવાગઢમાં માધુરી ત્રણ દિવસ સુધી રોકાશે. માધુરી દીક્ષિત ત્રણ દિવસો માટે ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ જામા મસ્જીદ, સાત કમાન, વડા તળાવ વિ. જેવા બેનમૂન ઐતિહાસિક સ્થળોએ પ્રવાસન ક્ષેત્રને ઉત્સાહિત કરવા માટે ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરશે એવું જાણવા મળી રહયુ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ માધુરી દીક્ષિતને અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં પણ જોવામાં આવી હતી, જ્યાંથી તેને ગુજરાતી થાળીનો આનંદ માણતો એક વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અભિનેતીની ફિલ્મના શૂટિંગ સમયે પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં રોજ આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી.

રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. પાવાગઢમાં આજથી 3 દિવસ સુધી માધુરી દીક્ષિત શૂટિંગ કરશે. તમને જણાવી દઈએ કે દિવાળી સિઝનથી જ યાત્રાધામ પાવાગઢમાં હજારો યાત્રાળુઓ ભારે ધસારો થઇ રહ્યો છે. અને આ દરમિયાન પાવાગઢ ખાતે માંચી અને રોપ વે ખાતે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’ના શૂટિંગ શરૂ થયું છે. અભિનેત્રી રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું.

જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી અને જ્યાં સુધી શુટિગ ચાલ્યું ત્યા સુધી રોપ વે સેવા બંધ થઇ ગઇ હતી. જેથી પાવાગઢ સ્થિત માંચી ખાતે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે અને બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે. જેને પગલે બાઉન્સરો અને યાત્રાળુઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી આ બધા યાત્રાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ધકધક ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. આજે માધુરી ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. માધુરી તેના સમયથી સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓમાં સુમાર છે. જેના કારણે તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel