જહાંગીર નામના વિવાદમાં લોકોએ ગંદી ગંદી સંભળાવી તો પહેલી વાર સામે આવી કરીનાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું બેબોએ

કરીના કપૂર ખાને દીકરા જહાંગીરના નામ ઉપર મચેલા હોબાળા ઉપર તોડી ચુપ્પી, કાન ખોલીને સાંભળી લેજો

બોલીવુડની બેબો અને પટૌડી ખાનદાનની વહુ બેગમ કરીના કપૂર ખાન હાલ વિવાદોમાં ઘેરાયેલી છે. તેને હાલમાં જ પોતાનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે. આ પુસ્તકનું ટાઇટલ પણ વિવાદોમાં રહ્યું અને હવે આ પુસ્તકની અંદર આવેલી કેટલીક બાબતો પણ વિવાદમાં આવવા લાગી છે.

જેમાંથી એક મોટા વિવાદનું કારણ કરીના કપૂરના બીજા દીકરાનું નામ બન્યું છે. કરીના કપૂરે પોતાના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. હવે જહાંગીર નામને લઈને લોકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે. ત્યારે આ બાબતે ચૂપ રહેલી કરીના કપૂરે હવે પોતાની ચુપ્પી તોડી છે અને પહેલીવાર સામે આવી છે.

કરીના કપૂર ખાને ઇન્ડિયા ટુડે સાથે વાત ચિત્તમાં દીકરા જહાંગીર નામ ઉપર ફેલાઈ રહેલી નેગેટીવી ઉપર પ્રતિક્રિયા આપી છે. કરીના કહે છે કે, “હું એક ખુબ જ સકારાત્મક માણસ છું. હું બહુ જ ખુશ છું. કોરોના જેવા કઠિન સમયમાં હું લોકોમાં ખુશી અને પોઝીટીવીટી ફેલાવવા માંગુ છું. હું કોઈપણ પ્રકારના ટ્રોલ અને નેગેટિવિટી વિશે નથી વિચારી શકતી. હવે મારી પાસે મેડિટેશન ઉપરાંત કોઈ બીજો રસ્તો નથી.”

કરીનાએ આગળ જણાવ્યું કે, “એ પણ એટલા માટે કારણ કે મને દીવાલની તરફ ધકેલવામાં આવી રહી છે. પરંતુ હું હજુ પણ ઠીક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાના બે ભાગ હોય છે. જો હકારાત્મકતા છે તો નકારાત્મકતા પણ હશે. કદાચ એવું ના હોતું. કારણ કે જેમની આપણે વાત કરી રહ્યા છે તે બે માસુમ બાળકો છે. જેમને આના વિશે કંઈજ ખબર નથી. પરંતુ અમે ખુશ અને સકારાત્મક રહીશું.”

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કરીના અને સૈફનાં પહેલા દીકરાના નામને લઈને પણ વિવાદ જન્યો હતો. ત્યારે પણ સોશિયલ મીડિયામાં તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારે બીજા દીકરાના જન્મને ઘણો  લાંબો સમય થયો હોવા છતાં પણ તેની કોઈ તસ્વીર કે તેના નામની જાહેરાત નહોતી કરી. પરંતુ તેના પુસ્તક દ્વારા તેના બીજા દીકરાનું નામ જહાંગીર સામે આવ્યું. હજુ સુધી તેની તસ્વીર સામે નથી આવી.

Niraj Patel