1500 લોકોની ભીડ હતી, મંદિરના જાગરણમાં સ્ટેજ તૂટ્યું, આટલા લોકોના થયા મૃત્યુ, જુઓ લાઈવ વીડિયો કોમેન્ટ બોક્સમાં

આજે સવાર સવારમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું છે. સ્ટેજ પડવાને લીધે 17 લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મોત થયું હતું.

તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આયોજકો સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંગર બી પ્રાક આ જાગરણમાં આવ્યા હતા, તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરમિયાન જ્યારે બી પ્રાકે સ્ટેજ પર પોતાનું પર્ફોર્મન્સ શરૂ કર્યું ત્યારે સ્ટેજ તૂટી પડ્યું.

જે બાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 1500 થી 1600 લોકોની ભીડ જાગરણમાં પહોંચી હતી. લોકો આયોજકો અને વીઆઈપીના પરિવારો માટે બનાવેલા પ્લેટફોર્મ પર ચઢી ગયા હતા, જેના કારણે અકસ્માત થયો હતો.

સિંગર બી પ્રાકે એક વીડિયો જાહેર કરતા આ મેટર વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી દ્વારા તેણે કહ્યું કે હું ખૂબ જ નિરાશ અને દુઃખી છું. જેઓ ઘાયલ થયા છે, હું આશા રાખું છું કે તેઓ જલ્દી સજા થઈ જશે.

આવી ઘટના મેં પહેલીવાર મારી સામે બનતી જોઈ છે. ભવિષ્યમાં આપણે ખૂબ કાળજી રાખવી પડશે. મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે બાળકો અને વૃદ્ધોની કાળજી લેવી જોઈએ. જીવનથી મોટું કંઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC