સાચી સાબિત થઈ BCCI સચિવ જય શાહની ભવિષ્યવાણી… જુઓ શું બોલ્યા હતા 2023માં

ભારતીય ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા ટી20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીતી લીધો. ફાઇનલ મુકાબલો 29 જૂન (શનિવાર)ના દિવસે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બ્રિજટાઉનની કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયો. આ મુકાબલામાં ભારતીય ટીમે સાત રનથી જીત મેળવી. આફ્રિકાને જીત માટે 177 રનનું ટાર્ગેટ મળ્યું હતું, પરંતુ તે આઠ વિકેટ પર 169 રન જ બનાવી શકી.

સાચી સાબિત થઈ જય શાહની ભવિષ્યવાણી

Jay shah already said India would win the final at Rajkot

ભારતીય ટીમે ત્રીજી વાર ટી20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ફાઇનલ મુકાબલામાં જીત સાથે જ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ગઈ. જય શાહે પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે બારબાડોસમાં ભારતનો તિરંગો લહેરાશે. કેપ્ટન રોહિત શર્માએ મેદાન પર ભારતનો ઝંડો પણ ગાડ્યો.

Rohit captaincy Jay shah statement worldcup win

14 ફેબ્રુઆરીએ રાજકોટમાં આયોજિત એક ઇવેન્ટમાં જય શાહે કહ્યું હતું, ‘2023માં ભલે જ અમે સતત 10 જીત પછી પણ વર્લ્ડ કપ નહીં જીતી શક્યા, પરંતુ અમે દિલ જીતી લીધાં છે.

India won the world cup

હું તમને વચન આપું છું કે 2024 (ટી20 વર્લ્ડ કપ)માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં, અમે બારબાડોસમાં ભારતીય ધ્વજ લહેરાવીશું.’ એટલે કે 135 દિવસ પછી જય શાહની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.

Nirali