રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઘણી જગ્યાએ અસામાજિક તત્વો દ્વારા ઉપદ્રવ મચાવવામાં આવ્યો હતો, જેના બાદ હનુમાન જ્યંતીની શોભાયાત્રામાં પણ દિલ્હીના જહાંગીરપુરામાં હિંસા ફાટી નીકળી હતી. જેના બાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલામાં હવે બુલ્ડોઝરની પણ એન્ટ્રી થઇ ગઈ છે.

વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ જહાંગીરપુરી હિંસાના આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસરના બાંધકામ પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. હવે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી છે.
ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વતી આ સંબંધમાં ઉત્તર પશ્ચિમના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી)ને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે 400 દિલ્હી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરવામાં આવી છે. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવા માટે 20 અને 21 એપ્રિલે અભિયાન ચલાવવામાં આવશે.
#WATCH | Anti-encroachment drive underway at the Jahangirpuri area of Delhi which witnessed violence on April 16 during a religious procession pic.twitter.com/zIxMVccwSM
— ANI (@ANI) April 20, 2022
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ વહીવટીતંત્રે ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો છે. જહાંગીરપુરી હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર, ઉત્તર MCD એ આદેશ આપ્યો છે કે વિસ્તારના ગેરકાયદે બાંધકામ-અધિક્રમણ પર બુલડોઝર ચલાવશે. જહાંગીરપુરામાં હિંસા વાળી જગ્યા ઉપર અવૈધ સંપત્તિઓ અને અતિક્રમણ ઉપર MCDએ કાર્યવાહી કરી. જેમની સંપત્તિઓ પર કાર્યવાહી થઇ તે લોકો રડતા નજર આવ્યા. લોકોએ MCDની કાર્યવાહીનો વિરોધ પણ કર્યો.
#WATCH North Delhi Municipal Corporation conducts anti-encroachment drive in Jahangirpuri in Delhi
The civic body has asked for 400 personnel from Delhi Police to maintain the law & order situation during the drive in the area pic.twitter.com/KViPfwPEqr
— ANI (@ANI) April 20, 2022
ત્યારે હવે આ મામલામાં એક નવી અપડેટ પણ સામે આવી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCDની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. અતિક્રમણ હટાવવાની ઝુંબેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. હવે આ મામલે આવતીકાલે સુનાવણી થશે.