ખુશખબરી: યુક્રેનમાં ફસાયેલા આપણા ભારતીયો આવી રહ્યા છે પરત, જુઓ ત્યાંની તસવીરો

ગઈકાલ સવારથી યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે અને એવામાં ત્યાં ફસાયેલા આપણા ભારતીયોની વાપસી હવે શરૂ થઈ ગઈ છે. તે બધાને રોમાનિયાના રસ્તે દેશમાં પાછા લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કેમકે, હવે પશ્ચિમ યુક્રેનમાં લિવીવ અને ચેર્નિવત્સીમાં વિદેશ મંત્રાલયના કેમ્પ ફરીથી સક્રિય થયા છે.

હાલમાં જ ANI એ ટ્વીટ કરેલી તસવીરો પણ સામે આવી છે, જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગઈકાલે ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી જ્યારે વિદેશ મંત્રાલયે પોલેન્ડ અને હંગેરીના માર્ગ દ્વારા બધાને બહાર કાઢવામાં આવશે તેવી માહિતી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યારે ત્યાં આશરે 20 હજાર ભારતીયો સ્ટક છે. આ યાદીમાં ઘણા વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ છે, જે ત્યાં ભણવા ગયા હતા. કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં MBBS ના વિદ્યાર્થીઓને બંકરમાં છુપાવવાની ફરજ પડે છે.

આ કારણે હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે. ગઇકાલે પીએમ મોદીએ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સલામતી તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.

હવે તે વાતચીત બાદ આજે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રવાના કરવામાં આવી છે. લેટેસ્ટ અપડેટ મુજબ રશિયા યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર થયું છે. સાથે જ પુતિન વાતચીત માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા માટે રાજી થયા છે.

બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે લડાઈમાં 1 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. ચીને યુક્રેન સંકટ પર રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી.

YC