પત્નીને અભ્યાસ માટે મોકલી કેનેડા, ત્યાં કરી લીધા બીજા લગ્ન, પતિનું 12 વર્ષથી વિદેશ જવાનું તૂટ્યુ સપનું…

ભારતમાં લગ્ન કરી કેનેડા ગયેલી છોકરીઓ ઘણીવાર ત્યાં જઇ બીજા લગ્ન કરી લેતી હોય છે, અને પતિને પોતાની પાસે બોલાવવામાં અચકાય છે. ત્યારે હાલમાં પંજાબના બટાલા પાસેના પેરોશાહ ગામમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા હરમિંદર સિંહની પત્ની સારા ભવિષ્યની આશામાં કેનેડા ભણવા ગઈ હતી. આ પછી તેણે તેના પતિને ત્યાં બોલાવ્યો નહિ અને બીજા લગ્ન કરી લીધા. (તમામ તસવીરો સૌજન્ય : આજ તક)

આ અંગે પીડિત પરિવાર વતી પરિવારજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને એસએસપી કચેરીમાં ફરિયાદ કરી છે. આ કેસની માહિતી આપતાં હરમિંદર સિંહે જણાવ્યું કે તેના લગ્ન 12 વર્ષ પહેલા બટાલા જિલ્લાના એક ગામની યુવતી સાથે થયા હતા. બંનેએ સાથે અભ્યાસ કર્યો અને તેમના પરિવારજનોની સંમતિથી તેમના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કર્યા. લગ્નના લગભગ ત્રણ મહિના પછી તેની પત્ની કેનેડા જતી રહી.

પીડિત પતિએ જણાવ્યું કે બંનેએ સારા ભવિષ્યનું સપનું જોયું હતુ અને આ માટે તેણે તેની પત્નીને અભ્યાસ માટે કેનેડા મોકલી. આ દરમિયાન તે તેની પત્નીની કોલેજની ફી પણ ભરતો રહ્યો. આ માટે તેણે પોતાની પૈતૃક જમીન પણ વેચી દીધી હતી. હરમિંદર સિંહે જણાવ્યું કે શરૂઆતમાં તેની પત્ની તેને કેનેડા લઈ જવા માટે કહેતી હતી. બે-ત્રણ વખત તેણે અરજી માટે તેની ફાઈલ પણ મૂકી પરંતુ કાગળ કાર્યવાહી પૂર્ણ ન થવાને કારણે તેને કેનેડાના વિઝા ન મળી શક્યા.

તેની પત્ની એક વર્ષનો અભ્યાસ કર્યા બાદ પંજાબ આવી હતી. જ્યારે તે અહીંથી ગઇ ત્યારે ગર્ભવતી હતી. પરંતુ કેનેડા ગયા પછી પત્નીએ પરિવારની સંમતિથી ગર્ભપાત કરાવ્યો. ત્યારે હવે કેનેડામાં રહેતા મિત્રો દ્વારા હરમિંદરને જાણકારી મળી કે થોડા સમય પહેલા તેની પત્નીએ કેનેડામાં બીજા લગ્ન કરી લીધા છે. જ્યારે તેણે તેની પત્નીનો સંપર્ક કર્યો તો તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પતિ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

હવે પત્નીએ તમામ ફોન નંબર બ્લોક કરી દીધા છે. યુવકની માતાએ કહ્યું કે, 12 વર્ષથી કેનેડા જવાની આશામાં બેઠેલા તેના પુત્ર સાથે છેતરપિંડી કરવામાં આવી, જેનાથી તેના હૃદયને ઘણું દુઃખ પહોંચ્યુ છે. તેઓએ SSP ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસને ન્યાયની અપીલ કરી છે. પોલીસે પીડિત હરમિંદર સિંહને આશ્વાસન આપ્યું છે કે આ કેસમાં સંપૂર્ણ તપાસ બાદ તેને ન્યાય આપવામાં આવશે.

Shah Jina