સફળતા હાંસલ કરવા માટે ઘણીવાર સખત પરિશ્રમ, દ્રઢતા અને ધીરજની જરૂર પડે, જો દૃઢ સંકલ્પ કરવામાં આવે તો કોઈપણ કાર્યમાં એક દિવસ ચોક્કસથી સફળતા મળે છે. ત્યારે આ વાક્યને દિલ્હીની રહેવાસી પ્રિયંકા ગોયલે સાબિત કરી દીધી છે. તેનું IAS બનવાનું
સપનું કે જે 5 વખત તૂટી ગયું હતું, પરંતુ તેને છઠ્ઠા પ્રયાસમાં સફળતા મળી. પ્રિયંકા દેખાવમાં પણ એટલી સુંદર લાગે છે. જેની સામે
સારી સારી અભિનેત્રીઓ પણ ફિક્કી પડે.
પ્રિયંકા ગોયલ દિલ્હીની રહેવાસી છે. તેણે પિતામપુરા સ્થિત મહારાજા અગ્રસેન મોડલ સ્કૂલમાંથી ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com કર્યા બાદ IAS અધિકારી બનવાના બાળપણના સ્વપ્નથી પ્રેરિત થઈ તેણે સ્નાતક થયા પછી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કર્યું. જો કે તેણે UPSC પરીક્ષા માટે કુલ 6 પ્રયાસો કર્યા હતા. જો તે UPSC CSE 2022 માં નાપાસ થઈ હોત, તો તેનું સરકારી અધિકારી બનવાનું સપનું અધૂરું રહી ગયું હોત.
જો કે પ્રિયંકા ગોયલની આ સફર સરળ નહોતી. તેણીએ તેના પ્રથમ પ્રયાસમાં સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે પ્રિલિમ પરીક્ષા પાસ કરવામાં પણ નિષ્ફળ રહી હતી. જ્યારે તેના બીજા પ્રયાસમાં માત્ર 0.7 માર્ક્સથી કટ ઓફ ચૂકી ગઈ. આમ ચાર પ્રયાસો દરમિયાન તે પ્રિલિમ પરીક્ષા પાસ કરી શકી ન હતી.તેણીનો વૈકલ્પિક વિષય જાહેર વહીવટ હતો. જેમાં તેણે 292 માર્કસ મેળવ્યા હતા.
પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની UPSC પરીક્ષાની સફર ઘણી મુશ્કેલ હતી. તેણીને ખબર પણ ન હતી કે તે ક્યારેય સફળ થશે કે નહીં.ત્રીજા પ્રયાસમાં, તે UPSC મુખ્ય પરીક્ષામાં નાપાસ થઈ. ચોથામાં તે CSATમાં પાછળ રહી ગઈ હતી. 5 માં વર્ષમાં, કોવિડ સમયગાળા દરમિયાન તેની માતાના 80% ફેફસાંને નુકસાન થયું હતું. આ પ્રયાસમાં પણ તે પ્રિલિમ ક્લિયર કરી શકી નહોતી
પ્રિયંકા માને છે કે તેણે તે સમયે તેનો 5મો પ્રયાસ ન કરવો જોઈએ. ત્યારે તે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી અને આવી સ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી ઘણી મુશ્કેલ હતી. વર્ષોથી તેના પર સમાજ અને લગ્નનું દબાણ પણ વધવા લાગ્યું હતું. તેની પાસે માત્ર એક જ પ્રયાસ બાકી હતો. છતાં તેણે હાર ન માની અને મહેનત ચાલુ રાખી. આખરે તેની મહેનત રંગ લાવી અને તેણે 2022ની UPSC પરીક્ષામાં 369મો રેન્ક મેળવ્યો.