ગુજરાતમાં આંધી-વંટોળ અને પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદની ભયાનક આગાહી- જાણો વિગત

આ વર્ષે કાળઝાળ ગરમી પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે અને હીટવેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એક બાજુ જ્યાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થઇ ગયુ છે, તો બીજી બાજુ ગુજરાતમાં માર્ચની શરુઆતથી જ માવઠુ થઇ રહ્યુ છે. ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે કૃષિ પાકને ઘણુ નુકસાન પહોચાડયું છે.

માવઠા બાદ ઠંડીનું જોર પણ છેલ્લા બે-ત્રણ દિવસથી વધ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે થોડો સમય ગરમી પણ લાગી રહી છે. અત્યારે એવું થઇ ગયુ છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુ એકસાથે જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે અને ગુજરાતીઓએ સાવધાન રહેવું પડશે.

જ્યોતિષાચાર્યના મતે 8 માર્ચથી 12 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટાના યોગ છે. બદલાતા ગ્રહોની સ્થિતિને ધ્યાને રાખીને જ્યોતિષાચાર્યો આ આગાહી કહી રહ્યાં છે. જો કે, આ ઉપરાંત હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. જ્યોતિષોએ આગાહી કરતા જણાવ્યું કે, શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું 11થી12 માર્ચ દરમિયાન આવશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થશે. તાપમાનની વાત કરીએ તો, નલિયાનું લઘુતમ તાપમાન મંગળવારે 7.4 ડિગ્રી પર પહોંચ્યુ હતુ અને જેને કારણે લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની નીચે રહ્યું, જ્યારે મહત્તમ 30 ડિગ્રીની નીચે…ખાસ તો મોડી રાત્રે અને વહેલી સવારે કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, માર્ચ દરમિયાન પવન ફૂંકાતા રહેશે.

ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી-વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યુ કે- બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે. એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. 10મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે. 20 માર્ચે સૂર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે.

Shah Jina