“જીવું છું રસીલા તારા મુખડાને જોઈ..” ગીત લલકારતા જ હરિભક્તો ઝૂમી ઉઠ્યા, જુઓ કેવો હતો ગીતાબેન રબારીની PMS 100ની મુલાકાતનો નજારો..
અમદાવાદના ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજ લાખો લોકો આ મહોત્સવનો લ્હાવો માણવા માટે આવી રહ્યા છે, સામાન્ય માણસો સાથે અહીંયા રોજ સેલેબ્સનો પણ જમાવડો જોવા મળતો હોય છે. અત્યાર સુધી આ મહોત્સવમાં ઘણા બધા કલાકારો, ઉદ્યોપતિઓ, રાજકીય નેતાઓ આવી ચુક્યા છે.
ત્યારે ગત રોજ કચ્છી કોયલ તરીકે આખા ગુજરાતમાં જાણીતા બનેલા ગીતાબેન રબારી પણ આ મહોત્સવનો લ્હાવો માણવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન ગીતાબેન રબારી પારંપરિક પરિવેશમાં સજ્જ થઈને આ મહોત્સવમાં જોવા મળ્યા હતા. તેમના આવતા જ ચાહકો પણ તેમની સાથે સેલ્ફી લેવા અને તેમની એક ઝલક જોવા માટે આતુર થઇ ગયા હતા.
આ દરમિયાન ગીતાબેને મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ પ્રસંગ અદભુત છે. અહીં આવીને ખૂબ આનંદ થાય છે. અહીં જેટલા પણ હરિભક્તો આવ્યા છે તેમને મારા જય સ્વામીનારાયણ. અદભુત નજારો છે. જેટલા પણ નથી આવ્યા તેમને એટલું કહીશ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં દર્શન કરો અહીંયાનો નજારો જુઓ.”
ગીતાબેને એમ પણ કહ્યું કે, “તમારા બાળકોને મજા આવશે. તમને પણ મજા આવશે.ઘણું બધું શીખવા જેવું છે અહીંયા. અહીંયાનો તમામ નજારો અદભુત છે, પરંતુ ખાસ અહીંયા વ્યવસ્થા જોઈએ તો બહુ જ સરસ છે. ભાવિક ભક્તોએ જે વ્યવસ્થા કરી છે તે આવીને જોવી જોઈએ. તે ખુબ જ સુંદર છે. જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ભણી રહ્યા છે તેમને પણ અહીંયાથી કંઈક શીખવા મળશે.”
ગીતાબેને આગળ એમ કહ્યું કે અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે. પ્રમુખસ્વામીની વાતને યાદ કરતા ગીતાબેને એમ પણ કહ્યું કે જેમ પ્રમુખસ્વામી કહેતા કે આપણે આપણા માટે નહિ પરંતુ બીજા માટે આપણું જીવન અર્પિત કરવું જોઈએ. આપણે પરિવારનું વિચારીએ છીએ પરંતુ આપણે માનવધર્મનું વિચારવું જોઈએ. આપણે નાત જાતના ભેદભાવ મૂકી અને સનાતન ધર્મ છે એવી રીતે વર્તવું જોઈએ.”
View this post on Instagram
ત્યારે ગીતાબેન રબારી માટે પણ આ મુલાકાત ખુબ જ યાદગાર બની ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ પહેલા પણ ઘણા બધા સેલેબ્સ આ મહોત્સવની મુલાકાત લઇ ચુક્યા છે અને હજુ આ મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે ત્યારે દેશ વિદેશમાંથી ઘણા નામી અનામી લોકો આ મહોત્સવમાં સહભાગી બનશે.
ગીતાબેન રબારીએ સ્વામિનારાયણ મહોત્સવમાં પોતાના સુરનો જાદુ પણ લહેરાવ્યો હતો. હજારો લોકોની જનમેદની સામે ગીતાબેન રબારીએ સ્વામીનારાયણ ભગવાનનું કીર્તન “જીવું છું રસીલા તારા મુખડાને જોઈને.” લલકાર્યું હતું ત્યારે સભા મંડપમાં બેઠેલા ભક્તો પણ ભાવવિભોર બન્યા હતા.